Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝિટીવનાં વધુ 27 દર્દીઓ નોંધાતા હડકંપ કોરોના પોઝિટીવનો કુલ આંકડો 735 સુધી પહોંચ્યો.

Share

ભરૂચ જીલ્લામાં કોરોનાની મહાજાળ દિવસેને દિવસે વિસ્તરતી જાય છે. તા.23-7-2020 નાં રોજ કોરોના પોઝીટીવનાં 27 દર્દીઓ નોંધાયા હતા. જેમાં ભરૂચમાં 7, અંકલેશ્વરમાં 12, આમોદમાં 4, વાલિયામાં 1, ઝઘડિયામાં 1, નેત્રંગમાં 1, જંબુસરમાં 1 એમ કુલ 27 દર્દીઓનો સમાવેશ થાય છે. અત્રે ખાસ નોંધવું રહ્યું કે ભરૂચનાં નામાંકિત વ્યક્તિઓ કે જેમાં તબીબો અને રાજકારણીઓનો સમાવેશ થાય છે. તેમના નામો ભરૂચનાં આરોગ્યતંત્રનાં ચોપડે ચઢતા નથી તે એક વિચિત્ર બાબત કહી શકાય તે સાથે કેટલાક દર્દીઓ કોરોના પોઝિટીવ હતા અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ સાજા થઈ જતાં તેમણે હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. લોકોએ એવાં દર્દીઓનું ફૂલોથી સ્વાગત કર્યું હતું જેમને કોરોનાને મ્હાત આપી હતી. પરંતુ આવા દર્દીઓના નામ પણ આરોગ્ય ખાતાનાં લિસ્ટમાં કયાંય જાણતા નથી. જેથી તેમની આજુબાજુનાં તેમના પોતાના ઘરના સભ્યોની તબીબી હાલત કેવી હશે તે અંગે કોઈ તપાસ કરાઇ નથી જે દુ:ખદ બાબત છે.

Advertisement

Share

Related posts

csk: ધોનીને રમતો જોઈને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા આ બાળકો: ધોનીએ આપી ખાસ ભેટ

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કોંગ્રેસનાં સિનિયર અગ્રણી અને અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરી કમિટીનાં પૂર્વ ચેરમેન સિકંદરભાઈ ફડવાલા દ્વારા પત્ર લખી કોવીડ-19 નાં હોસ્પિટલો કાર્યરત કરવા પ્રજાહિતમાં રજુઆત કરાઈ.

ProudOfGujarat

વડોદરા : તરસાલીમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા શખ્સને 30 હજારથી વધુનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડતી પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!