Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાનાં કિશનાડ ગામમાં પરિણીતાએ ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લેતા ભારે ચકચાર મચી જવા પામી હતી.

Share

પાલેજ પોલીસ મથકની હદમાં આવેલા ભરૂચ તાલુકાના કિશનાડ ગામમાં એક પરિણીતાએ ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તરૂણાબેન હેમેન્દ્રકુમાર મુકેશભાઈ રાવળ હાલ રહે. કિશનાડ મૂળ રહે. ધોળીકુઈ ભરૂચ નાઓ ગતરાત્રીના ૧૧ થી ૧૨:૩૦ વચ્ચે પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. તરૂણાબેન તેમના પતિને ત્રણ દિવસથી પોતાના પિયરમાં જવાનું કહેતા હતા. પતિએ પોતાની પત્નીને હાલમાં નાણાં ન હોવાનું જણાવી નાણાં આવશે તો તને પિયર મોકલીશું એમ કહેતા તરૂણાબેનને લાગી આવતા તેણીએ પંખા સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. બનાવ સંદર્ભે તરૂણાબેનના પતિએ પાલેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

હાંસોટ : વરસાદને પગલે હાઇસ્કૂલમાં પાણી ભરાતા તાત્કાલિક સ્કૂલ ખાલી કરાવાઈ.

ProudOfGujarat

જંબુસર : ભોદર ગામે આશરે સત્તર લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું.

ProudOfGujarat

પાલેજ નગર સહિત પંથકમાં ઇદુલ ફિત્ર પર્વની મુસ્લિમ સમાજ દ્વારા શાનદાર ઉજવણી કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!