Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાનાં ટંકારીયા ગામમાં આવેલા આદિવાસી સમાજનાં સ્મશાનમાં ૧૪ માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી ગ્રામ પંચાયત દ્વારા બ્લોક પેવરનું કામ કરાતા આદિવાસી સમાજમાં હર્ષની લાગણી વ્યાપી જવા પામી હતી.

Share

ભરૂચ તાલુકાનાં ટંકારીયા ગામમાં આવેલા આદિવાસી સમાજનાં સ્મશાનમાં ૧૪ માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી ગ્રામ પંચાયત દ્વારા બ્લોક પેવરનું કામ કરાતા આદિવાસી સમાજમાં હર્ષની લાગણી વ્યાપી જવા પામી હતી. બ્લોક પેવરનુ કાર્ય પૂર્ણ થતા શનિવારનાં રોજ આદિવાસી સમાજના આગેવાનના હસ્તે રીબીન કાપી લોકાર્પણ કરાયું હતું.

બ્લોક પેવર બેસાડતા સ્મશાનમાં અંતિમવિધિ સમયે જે હાલાકી પડતી હતી તે હવે દૂર થશે. સદર કામ વાગરા મતવિસ્તારના ધારાસભ્ય અરૂણસિંહ રણા તેમજ ગ્રામ પંચાયતના કાર્યકારો સરપંચના સહિયારા પ્રયાસોથી પૂર્ણ થતા આદિવાસી સમાજ દ્વારા તેઓનો આભાર વ્યક્ત કરાયો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચમાં દિવ્યાંગ સહાય યોજનામાં મળેલા ૪૬ ફોન લાભાર્થીઓએ પરત કર્યા

ProudOfGujarat

ભરૂચ : ઝઘડિયા તાલુકાનાં રતનપોર ભીલવાડા ગામેથી વધુ એક દીપડો ઝડપાયો : વનવિભાગ દોડતું થયું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા નેશનલ હાઈવે પર મુસાફરોને સર્વિસ રૉડ બનાવી આપવા માંગ સાથે આવેદન પાઠવાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!