Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ગાંધીબજાર વિસ્તારમાં રસ્તા પરનો ખાડો કોઈનો ભોગ લે તેની નગરપાલિકા રાહ જોઈ રહી છે ? અત્યારસુધી ખાડામાં 10 કરતાં વધુ રાહદારીઓ ખાબકયા છતાં નગરપાલિકાની આંખ ખૂલતી નથી.

Share

ભરૂચ નગરપાલિકાનાં વહીવટને આળસનો અંધાપો આવી ગયો હોય તેવી લોકચર્ચા ચાલતી હોય છે. ભરૂચ નગરપાલિકામાં લોકોની યાતના અને સમસ્યાને સમજનાર કોઈ નથી એમ જણાય રહ્યું છે કે ભરૂચનાં ચાર રસ્તા ગાંધી બજાર વિસ્તારમાં આવેલ એક ખાડામાં એક રાહદારી વરસાદનાં પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ બનાવ બાદ અન્ય 2 બનાવો બન્યા હતા જેથી નગરપાલિકાએ ખાડાની આજુબાજુ બેરીકેટ ઊભા કર્યા હતા પરંતુ આ બેરીકેટનો પ્રયોગ સફળ થયો નહીં અને ત્યારબાદ પણ આ ખાડામાં રાહદારીઓ ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા. જો આજુબાજુનાં વેપારીઓ સમયસર ખાડામાં ગરકાવ થયેલ લોકોને કાઢી લીધા ન હોત તો ખૂબ મોટી હોનારત સર્જાતે તેમજ આ સમસ્યા જીવલેણ સાબિત થવાની સંભાવના પણ હતી. હજી નગરપાલિકા જાગે તો સારું ગાંધીબજાર ચાર રસ્તાની આજુબાજુનાં વિસ્તારોમાંથી આવતા પાણી વચ્ચે આ ખાડો નજરે પડતો નથી જેથી આ ઉપર યોગ્ય નિશાનીઓ મૂકવામાં આવે તેવી લોકમાંગ ઊભી થઈ છે.

Advertisement

Share

Related posts

હેપ્પી ફેમિલી : કન્ડિશન્સ એપ્લાયના કલાકાર અને નિર્માતાએ અમદાવાદ શહેરની લીધી મુલાકાત

ProudOfGujarat

વડોદરામાં એસ.એસ.જી રોડ પર જોખમકારક ટ્રાફિક સિગ્નલનો થાંભલો : અકસ્માત સર્જાવાની ભીતિ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા માત્ર સાડા ચાર મિનીટમાં જ સમેટાઈ ગઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!