Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : દહેજ ગામેથી દોઢ વર્ષ અગાઉ સગીરાનું અપહરણ કરનાર આરોપીને સગીરા સાથે ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

Share

ભરૂચ જીલ્લામાં સગીરાને લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરવાના બનાવો વધી રહ્યા છે. આવો જ બનાવ દોઢ વર્ષ અગાઉ દહેજ ગામ ખાતે બન્યો હતો. જેમાં સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. જોકે આરોપીને એલ.સી.બી. પોલીસે ઝડપી પાડેલ છે. આ અંગેની વિગત જોતાં દહેજ ગામેથી તા.17-1-19 નાં રોજ એક સગીરાને વિક્કીસિંહ ઉર્ફે વિક્રમ ચરણસિંહ વાધેલાએ લલચાવી ફોસલાવી લગ્ન કરવાને ઇરાદે અપહરણ કરી ભગાડી ગયો હતો. જે બાબતે દહેજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીને ઝડપવા માટે એલ.સી.બી. ની જુદી જુદી ટીમો રચવામાં આવી હતી. આ ઉપરાંત ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ પણ આરોપીને ઝડપી પાડવાના પ્રયાસો કરાયા હતા. જેમાં પી.એસ.આઇ. એ.એસ.ચૌહાણને અને તેમની ટીમને મળેલ બાતમીને આધારે ઉપરોકત ગુનાના આરોપીને સગીરા સાથે ભાવનગર જીલ્લાનાં મહુવા ખાતેથી ઝડપી ભરૂચ લઈ આવ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી કરવા ભરૂચ બી ડિવિઝનને સોંપવામાં આવેલ છે. આરોપી સાથે સગીરા પણ હોવાનું પોલીસનાં સૂત્રોએ જણાવ્યુ હતું.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકામાં રહેતી અન્ય જિલ્લાની સગીરાને એક યુવક લગ્નની લાલચ આપી ભગાડી ગયો.

ProudOfGujarat

ભરૂચમાં વહેલી તકે RTPCR લેબ શરૂ કરવા કોંગ્રેસનાં સંદીપ માંગરોલાની માંગણી.

ProudOfGujarat

દેશમાં હિંદુઓ પર થતા હુમલાના વિરોધમાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!