Proud of Gujarat
FeaturedGujarat

વિરમગામમા નીકળનાર રથયાત્રાના આયોજન માટે નાયબ કલેક્ટરની અધ્યક્ષતામા શાંતિ સમિતિની બેઠક યોજાઇ.

Share

ન્યુઝ વિરમગામ
તસવીર-વંદના નીલકંઠ વાસુકિયા

અમદાવાદ જિલ્લાના વિરમગામમાં આવેલા ઐતિહાસિક રામ મહેલ મંદિરેથી અષાઢી બીજના પાવન દિવસે રથયાત્રા નીકળનાર છે જેના આયોજનના ભાગરૂપે વિરમગામ તાલુકા સેવા સદન ખાતે નાયબ કલેકટર ની અધ્યક્ષતા માં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વિરમગામમાં આગામી 4 જુલાઇ એ નિકળનાર ભગવાન જગન્નાથજીની 37 મી ભવ્ય રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રથયાત્રાના આયોજન માટે મળેલી શાંતિ સમિતિની બેઠકમાં રામ મંદિરના મહંત, રથયાત્રા સમિતિના સભ્યો, પૂર્વ ધારાસભ્ય, કાઉન્સિલર, વિવિધ સામાજિક આગેવાનો, વિવિધ સરકારી વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં રથયાત્રા આયોજન,રોડ મેપ, સ્વચ્છતા, શાંતિ સલામતિ, કાયદો અને વ્યવસ્થા સહીતના મુદ્દાઓની ચર્ચા કરવા આવી હતી.

Advertisement


Share

Related posts

અંકલેશ્વરનાં દિવા ગામ ખાતે ખેડૂતોનો વિરોધ…

ProudOfGujarat

ભરૂચ : મોટરસાયકલની ચોરીનો ભેદ ઉકેલી ત્રણ શખ્સો સાથે મોટરસાયકલ ઝડપી પાડતી રાજપારડી પોલીસ.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકા પોલીસે પારડી ગામ ખાતેથી રૂ. 90,520 ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોની ધરપકડ : 4 ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!