Proud of Gujarat
FeaturedGujarat

વિરમગામમા નીકળનાર રથયાત્રાના આયોજન માટે નાયબ કલેક્ટરની અધ્યક્ષતામા શાંતિ સમિતિની બેઠક યોજાઇ.

Share

ન્યુઝ વિરમગામ
તસવીર-વંદના નીલકંઠ વાસુકિયા

અમદાવાદ જિલ્લાના વિરમગામમાં આવેલા ઐતિહાસિક રામ મહેલ મંદિરેથી અષાઢી બીજના પાવન દિવસે રથયાત્રા નીકળનાર છે જેના આયોજનના ભાગરૂપે વિરમગામ તાલુકા સેવા સદન ખાતે નાયબ કલેકટર ની અધ્યક્ષતા માં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વિરમગામમાં આગામી 4 જુલાઇ એ નિકળનાર ભગવાન જગન્નાથજીની 37 મી ભવ્ય રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રથયાત્રાના આયોજન માટે મળેલી શાંતિ સમિતિની બેઠકમાં રામ મંદિરના મહંત, રથયાત્રા સમિતિના સભ્યો, પૂર્વ ધારાસભ્ય, કાઉન્સિલર, વિવિધ સામાજિક આગેવાનો, વિવિધ સરકારી વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં રથયાત્રા આયોજન,રોડ મેપ, સ્વચ્છતા, શાંતિ સલામતિ, કાયદો અને વ્યવસ્થા સહીતના મુદ્દાઓની ચર્ચા કરવા આવી હતી.

Advertisement


Share

Related posts

અંકલેશ્વર- એક લાખ રૂપિયા ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ…

ProudOfGujarat

વલણ હોસ્પિટલમાં કોવિડ-૧૯ સેન્ટર તથા આઈશોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યા.

ProudOfGujarat

ભરૂચની શ્રવણ શાળામાં કલા વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!