Proud of Gujarat
FeaturedGujaratINDIA

સરદાર સરોવર ડેમમાંથી 3 લાખ કયુસેક પાણી છોડાતા નર્મદા નદીની સપાટીમાં સતત વધારો.

Share

ભરૂચ જીલ્લામાંથી વહેતી નર્મદા નદીમાં સરદાર સરોવર ડેમમાંથી તબક્કાવાર 3 લાખ કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ પાણી છોડતા પહેલા તંત્ર દ્વારા નદી કિનારાનાં વિવિધ ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભરૂચ નગરનાં નીચાણવાળા વિસ્તારને પણ એલર્ટ કરવામાં આવ્યા હતા. ગતરોજ તા.28-8-2020 નાં સાંજના સમયથી તબક્કાવાર પાણી છોડવાની શરૂઆત કરતાં 3 લાખ કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું. હજી પણ વધુ પાણી છોડવામાં આવે તેવી સંભાવના છે. હાલ બપોરે 12 વાગ્યાનાં સુમારે સરદાર સરોવર ડેમની સપાટી 131.25 હોવાનું હવામાન ખાતાનાં સૂત્રોએ જણાવ્યુ હતું. ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. સવારે 8 કલાકે નદીની સપાટી 8.25 ફૂટ, 10 કલાકે 9 ફૂટ અને 12 કલાકે 10 ફૂટની સપાટી નોંધાય હતી.

Advertisement

Share

Related posts

નડિયાદના ડભાણ નજીક રેતી ભરેલ ટ્રેલરે બીજા ટ્રેલરને ટક્કર મારતા સર્જાયો અકસ્માત.

ProudOfGujarat

નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામોમાં બાળલગ્ન અટકાવવા નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષકનુ અનોખું નવતર અભિયાન

ProudOfGujarat

રાજપીપળા કલેક્ટરાલય ખાતે જિલ્લા પ્રભારી સચિવ હૈદરે યોજેલી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!