Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : ગણેશ સુગરનાં ચેરમેન અને કોંગ્રેસ અગ્રણી શ્રી સંદીપ માંગરોલાએ રેલથી થયેલ નુકસાન અંગે ગુજરાત સરકાર સ્પેશિયલ પેકેજ જાહેર કરે તેવી માંગણી કરેલ છે.

Share

ગણેશ સુગરનાં ચેરમેન અને કોંગ્રેસ અગ્રણી શ્રી સંદીપ માંગરોલા દ્વારા તાજેતરની પરિસ્થિતીનાં અનુસંધાને ગુજરાત સરકાર સ્પેશિયલ પેકેજ જાહેર કરે તેવી માંગ કરી છે. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા કેવડીયાથી ભાડભુત, દહેજ સુધી નર્મદા નદીમાં પુરની સ્થિતિ ઉદભવી છે. કિનારાના ખેડૂતોના પાકોને ખૂબ મોટું નુકસાન થયું છે. ખેડૂતોએ ખૂબ મહેનત કરી ખેતી કરી હતી પરંતુ રેલ આવતા ખેતીને નુકસાન થયું છે. કેળ, શેરડી તેમજ શાકભાજી સહિતના વધુ ઉત્પાદન ખર્ચવાળા પાકોમાં છેલ્લા બે દિવસથી પાણી ભરાય જતા પાક નિષ્ફળ ગયો છે.

ત્યારે ગુજરાત સરકાર આ નુકસાન અંગે તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરે તેવી માંગણી સંદીપ માંગરોલાએ કરી છે. ભરૂચ શહેર અને તાલુકાના નિચાણવાળા ગામોમાં રેલના પાણી ભરાતા રહીશોને પણ હાલની કોરોના જેવી મહામારી ન ફેલાય તે માટે સાફ સફાઈનું ધ્યાન રાખવામા આવે તેવી પણ માંગણી કરી છે.

Advertisement

Share

Related posts

નવસારીના એઘલ ગામથી સાયકલ પ્રવાસે નીકળેલ નરેશ આહીર તવરા પાંચ દેવી મંદિરે પહોંચતા આહીર સમાજ દ્વારા સ્વાગત કરાયું

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં ઝનોર ગામમાંથી જુગાર રમતા સાત જુગારીઓને ઝડપી પાડતાં જુગારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો…

ProudOfGujarat

પ્રાથમિક મિશ્ર શાળા સુડી માં આમોદ તાલુકાનું ગણિત વિજ્ઞાન પ્રદશન યોજયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!