Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : ભીલીસ્થાન ટાઈગર સેના દ્વારા ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. જાણો આવેદનપત્રમાં શું કહેવામાં આવ્યું.

Share

ભીલીસ્થાન ટાઈગર સેના દ્વારા ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી નર્મદા ડેમમાંથી પાણી છોડવાથી કાંઠા વિસ્તારમાં ગરીબ પ્રજા અને ખેડૂતોને થયેલ નુકસાન અંગે તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગની બિસ્માર હાલત હોવાથી મરામત કરાવવા અંગે માંગ કરવામાં આવી છે. ભીલીસ્થાન ટાઈગર સેના દ્વારા પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે તાજેતરમાં સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીમાં પૂરની પરિસ્થિતી સર્જાય હતી જેના પગલે ગરીબ પ્રજા અને ખેડૂતોને ખૂબ નુકસાન થયેલ છે. આ નુકસાનીનાં પગલે ખેડૂતો પર આર્થિક ભારણ આવી ગયું છે. તેઓના ઢોર માટે કચરુ પણ બચ્યું નથી જે અંગે તાત્કાલિક વ્યવસ્થા કરી ખેડૂતોને પૂરની નુકસાની વળતર આપવા તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ જે બિલકુલ બિસ્માર હાલતમાં છે જેને કારણે આમ જનતાને પણ અવરજવર કરવામાં ભારે તકલીફ પડી રહી છે. જેનું તાત્કાલિક ધોરણે સમારકામ થાય તેવી માંગ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : ખરોડ ગામની સાર્વજનિક હાઈસ્કૂલમાં અવરનેશ પ્રોગ્રામ યોજાયો.

ProudOfGujarat

પાલેજ GIDC માંથી જુગાર રમતા 8 ઇસમોને 6.40 લાખની મત્તા સાથે ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

અમદાવાદ : નૈરુત્યનુ ચોમાસુ દક્ષિણ ગુજરાતના વલસાડ સુધી પહોચ્યુ ચોમાસુ.આવ રે વરસાદ…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!