Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ સિવિલ હોસ્પિલમાંથી બે કેદીઓ ફરાર.

Share

ભરૂચ સિવિલ હોસ્પિટલનાં કોરોના વોર્ડ પાસે ગાર્ડરૂમનાં વેન્ટીલેશનમાંથી તા. 9-9-2020 ની રાત્રિનાં 3 વાગ્યા પછી કોઈપણ સમયે બે કેદીઓ વેન્ટીલેશનમાંથી કૂદી નાસી ગયા હતા.

આ કેદીઓની વિગત જોતાં અર્જુન ઉર્ફે અજજુ જયંતિભાઈ પરમાર કે જે છોટાઉદેપુર જીલ્લાનાં કવાંટ તાલુકાનાં નિશાળ ફળિયા ખાતે રહે છે. તેને ધોરણ 10 નો અભ્યાસ કર્યો છે ત્યારે તેની પર અંકલેશ્વર શહેર ખાતે ઇપીકો કલમ 363 તેમજ પોસ્કોની કલમો લાગી હતી અને તે મુજબનો ગુનો કર્યો હતો જેને પોલીસે તા.20-6-2020 નાં રોજ પકડી તા.21-6-2020 નાં રોજ જેલમાં દાખલ કરવામાં આવ્યો. તેને સતત તાવ, શરદી, કળતર અને ગળામાં દુ:ખાવો હોવાના પગલે તા.3-9-2020 નાં રોજ સિવિલ હોસ્પીટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. જે કાચા કામનો આરોપી છે. અન્ય સિવિલ હોસ્પિટલમાંથી નાસેલ કેદી કે જેની વિગત જોતાં આકાશ સંજયભાઈ વસાવા જે પણ કાચા કામના આરોપી તરીકે જેલમાં હતો તેની ઉં.23 વર્ષ, અભ્યાસ ધોરણ 7 અને તાળીયા ભરૂચ વિસ્તારમાં રહેતો હતો. તેની સામે બી ડીવીઝન પોલીસ મથક ખાતે 302 ની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે સાબુ ખાઈ જતાં 5-9-2020 નાં રોજ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. આ બંને આરોપીઓ કોરોના વોર્ડ પાસેથી ગાર્ડરૂમનાં વેન્ટીલેશનમાંથી નાસી જતાં બી ડીવીઝન પોલીસ મથકએ ફરિયાદ નોંધી બી ડીવીઝન પોલીસે તપાસનો આરંભ કરેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં ભરતી પરીક્ષામાં ગેરવ્યવસ્થા: OMR શીટ અને પ્રશ્નપત્રમાં વિલંબ થતાં ઉમેદવારોના વિરોધ બાદ પરીક્ષા મોકૂફ : ઉમેદવારોએ NEET પેપર લીક વિવાદની યાદ અપાવી, પારદર્શક પરીક્ષા પ્રક્રિયાની કરી માંગ

ProudOfGujarat

અહાન પાંડેએ અલી અબ્બાસ ઝફરની આગામી ફિલ્મ માટે પોતાનો નવો લુક રજૂ કર્યો, જેમાં આદિત્ય ચોપરા નિર્માતા બનશે.

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે દાતાશ્રી તરફથી બાળકોને ભેટ અપાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!