Proud of Gujarat
FeaturedGujaratINDIA

શક્તિપીઠ અંબાજી માતાજી મંદિરમાં અદભુત ગરીમાં અને ચમત્કાર… ? જાણો વધુ.

Share

ભરૂચનાં દાંડિયાબજાર સ્થિત પ્રસિદ્ધ અને પ્રાચીન અંબાજી મંદિરને શક્તિપીઠનો વિશિષ્ટ ઉચ્ચ ધાર્મિક દરજ્જો મળ્યો છે. તેથી જ આ મંદિર ભકતજનો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર સાબિત થયું છે. માત્ર ભરૂચ જીલ્લાનાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતનાં અને હવે તો દૂર-દૂરથી ભકતજનો દર્શન કરવા અર્થે અંબાજી મંદિર ખાતે આવે છે. નવરાત્રિ મહોત્સવ દરમ્યાન આ મંદિરનું અને તેથી માતાજીનાં દર્શનનું મહત્વ અનેક ઘણું વધી જાય છે. આ મંદિરમાં ખાસ એક અદભુત ધાર્મિક ગૌરવ ગાથા સમાન યંત્ર વિષા આવેલ છે. આ યંત્રની ખાસિયત એ છે કે કોઈપણ ઋતુમાં કોઈપણ પરિસ્થિતિમાં આ યંત્રમાંથી પાણી ઓછું થતું નથી, વર્ષોથી આ યંત્રમાં પાણી પુરતા પ્રમાણમાં છે એટલું જ નહીં પરંતુ યંત્રને સાફ કરવામાં આવે ત્યારે ચમત્કારિક રીતે અદભુત રીતે ફરી એકવાર યંત્રમાં પાણી ભરાય જાય છે. ભકતજનો આ યંત્રમાનાં પાણીને અમ્રુત સમાન ગણીને પૂજન કરે છે. તેમજ યંત્ર પ્રત્યે પણ ધાર્મિક આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે. આવા શક્તિપીઠ અંબાજી માતાનાં મંદિરનાં મહારાજનાં જણાવ્યા મુજબ આઠમ તા.24-10-2020 નાં રોજ ઉજવાશે એમ જણાવેલ છે.

Advertisement

Share

Related posts

તાપ હોય કે ઠડી કે વરસાદ કે અન્ય વિસમ પરિસ્થિતિ હોય ડી જી વી સી એલ ના કર્મચારી સતત ફરજ પર….

ProudOfGujarat

પોરબંદર : લુપ્ત થતા ચાકડામાંથી માટીના ગરબા બનાવવાની પરંપરા જગતિયા પરિવારે જાળવી રાખી.

ProudOfGujarat

એન એમસી ના અમલ ના વિરોધ મા ભરુચ શહેર જીલ્લા ના તબીબો ની હડતાલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!