Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : માતાજીની આઠમ અંગે ભરૂચ પંથકમાં તડામાર તૈયારી.

Share

ભરૂચ પંથકમાં કોરોના મહામારી હોવા છતાં નવરાત્રિ મહોત્સવ રંગેચંગે ઉજવાઇ રહ્યો છે. ફર્ક માત્ર એટલો જ છે કે વિતેલા વર્ષોમાં નવરાત્રિ મહોત્સ્વ સામૂહિક રીતે અને મોટા બજેટ સાથે ઉજવાતા હતા પરંતુ આ વર્ષે કોરોનાની ગાઇડલાઇન મુજબ જાહેરમાં નવરાત્રિ મહોત્સવ ઉજવાઇ રહ્યા નથી પરંતુ એનો અર્થ એ નથી કે ભકતજનો માતાજીની ભક્તિ નથી કરતાં ભકતો પોતાના નિવાસસ્થાને ભક્તિ ખરા અર્થમાં કરી રહ્યા છે. જેમ કે તા. 24/10/2020 નાં રોજ આઠમ પર્વ નિમિત્તે ભરૂચ પંથકમાં ચુંદડી તેમજ માતાજીનાં અન્ય શણગારની ખરીદીમાં ખૂબ તેજી જણાઈ રહી છે.

વેપારીઓનાં જણાવ્યા મુજબ દર વર્ષ કરતાં આ વર્ષે ચુંદડી તેમજ અન્ય શણગારનો ભાવ વધ્યો હોવા છતાં ભક્તજનો ખૂબ જ હોશભેર માતાજીની ભક્તિ માટે ચુંદડી અને અન્ય શણગારની ખરીદી કરી રહ્યા છે. જોકે વેપારીઓનાં જણાવ્યા મુજબ વિતેલા વર્ષો કરતાં આ વર્ષે આભલા ભરેલ ચૂંદડીઓ ઓછી વેચાઈ છે પરંતુ તેનું માત્ર એ કારણ છે કે વિતેલા વર્ષોમાં સામુહિક નવરાત્ર ઉજવાતા હતા પરંતુ આ વર્ષે કોરોના મહામારીનાં પગલે લોકો પોતાના નિવાસ્થાને જ નવરાત્રિ ઉજવી રહ્યા હોવાના પગલે વેપારીઓને ભલે મંદી લાગે પરંતુ માતાજીની ચુંદડી અને શણગારમાં તેજી જણાય રહી છે.

Advertisement

Share

Related posts

બે દિવસમાં ૬ બુટલેગરોને પકડી પાડતી ભરૂચ પોલીસ

ProudOfGujarat

ભરૂચ કરમાડ ગામે મદીના પાર્કમાં રહેણાંક મકાનમાંથી જુગાર રમતાં 8 જુગારીઓને કુલ રૂ. 2 લાખ કરતાં વધુની મત્તા જપ્ત કરી ઝડપી પાડયા.

ProudOfGujarat

ગોધરા પરવડી પાજરાપોળ ખાતે શ્રમજીવી મજૂરોને જમવાની વ્યવસ્થા કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!