Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ખિચડી મેડિકલ પ્રથાનો વિરોધ કરતા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભરૂચ શાખા.

Share

ભરૂચ આઇ.એમ.એ. પ્રેસિડન્ટ ડૉ. દુષ્યંત વરીયા અને સેક્રેટરી ડૉ. પલક કાપડિયાનાં જણાવ્યા અનુસાર હાલ સરકાર દ્વારા સી.સી.આઇ.એમ. દ્વારા આર્યુવેદ ડોકટર્સને એલોપેથી સર્જરીમાં એમ.એસ ની ડિગ્રી આપવા અંગેનો અભ્યાસક્રમનો એલોપેથી ડોકટર્સ દ્વારા સમગ્ર દેશવ્યાપી વિરોધ કરવામાં આવનાર છે.

આ નવા નિયમ અનુસાર તૈયાર થનારા ખિચડી અભ્યાસ અને ખિચડી ડોકટર્સ દ્વારા દેશની આધુનિક અને વિકસિત શિક્ષા પ્રણાલીને ખૂબ મોટું નુકસાન થઈ શકે છે. હાલ ભારતનાં તબીબો દેશ-વિદેશમાં ખ્યાતિ ધરાવે છે ત્યારે આવી રીતે આર્યુવેદિક ડોકટર્સને સર્જરી કરવા અંગેની છૂટછાટ આપતા ભારતીય તબીબ વિજ્ઞાનનું અવમૂલ્યન થવાનું સંભાવ છે જેમાં વિરોધમાં આઇ.એમ.એ. ભરૂચ દ્વારા તા 11-12-2020 નાં રોજ તમામ તબીબો એટલે કે એલોપેથી ડોકટર્સ સવારનાં 6 વાગ્યાથી સાંજનાં 6 વાગ્યા સુધી કોવિદ અને નોન ઈમરજન્સી સારવારથી દૂર રહીને નવી પ્રથાનો વિરોધ કરશે તેમજ ઓ.પી.ડી. સેવા તેમજ નોન ઈમરજન્સી સેવાઓ બંધ રાખશે એમ જણાવાયું છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકામાં સિમેન્ટ કોંક્રીટના વધતા આક્રમણને લઇને ખેતીની જમીનો લુપ્ત થવાના આરે.

ProudOfGujarat

ભરૂચ : ધાર્મિકતા સાથે નોકરીની નિષ્ઠા, રોઝા રાખી ફરજ પર જ નમાજ અદા કરતા ભરૂચનાં મુસ્લિમ પોલીસ કર્મીઓ.

ProudOfGujarat

કરજણ નદીના પૂરમાંથી લોકોને ઉગારનારા NDRF, SDRF જવાનોને પ્રશસ્તિપત્રો અર્પણ કરી સન્માનિત કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!