Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચથી અંકલેશ્વર જવાનાં માર્ગ પર છાપરા પાટિયા પાસે રીક્ષાનું ટાયર નીકળી જતા રીક્ષા પલટી જતા એક વ્યક્તિને ઇજા…

Share

ગોલ્ડન બ્રિજ પાસે ભરૂચ અને અંકલેશ્વરને જોડતા માર્ગ પર છાપરા ગામના પાટિયા નજીક રીક્ષાનું આગળનું ટાયર નીકળી ગયું હતું. જેથી રીક્ષા પલટી જતા એક વ્યક્તિને ઇજા પહોંચી હતી.

આ બનાવ અંગે વિગતે જોતા કોરોનાં મહામારીનાં પગલે ટ્રેનો બંધ છે ત્યારે ભરૂચથી અંકલેશ્વર તરફ અવરજવર કરતા લોકો, કર્મચારીઓ અને કામદારો વિવિધ વાહનો દ્વારા સડક માર્ગે ભરૂચથી અંકલેશ્વર અવરજવર કરી રહ્યા છે. તેથી આ માર્ગ પર વાહન વ્યવહાર ખુબ વધી ગયો છે. તેવામાં આજે એક રીક્ષાનું આગળનું ટાયર અચાનક નીકળી જતા રીક્ષા પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો અને એક વ્યક્તિને ઇજા પહોંચી હતી. આ બનાવ બનતા અફરાતફરીનું વાતાવરણ ફેલાઈ ગયું હતું.

Advertisement

Share

Related posts

ગુજરાતમાં લાંબા સમયથી લાઈબ્રેરીયનની ભરતી ન થતાં બેરોજગારો દ્વારા કટાક્ષ સાથે પાઠવ્યું શિક્ષણ મંત્રીને આવેદન.

ProudOfGujarat

રૂપિયા પરત ન કરવા પડે માટે દંપતિની હત્યાની કોશિશ કરનાર 5 ઝબ્બે

ProudOfGujarat

જંબુસરના ઈસ્લામપુરા ગામે દરિયાની પ્રોટેકશન વોલ તૂટી જતાં દરિયાના પાણી ગામમાં ઘુસ્યા, નવી નગરી વિસ્તારના લોકોને સ્થળાંતર કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!