આજે મહિલા દિન નિમિત્તે ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર, જીલ્લા મહિલા બાલ અધિકારીની કચેરીનાં સંયુકત ઉપક્રમે ડૉ.બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહિલા દિન નિમિત્તે યોજાયેલ આ કાર્યક્રમનું ભરૂચનાં જાગૃત મહિલાઓએ ઉપસ્થિત મહિલાઓને સ્ત્રીઓનાં રક્ષણ અર્થે ધડવામાં આવેલા કાયદાઓની સમજ આપી હતી જેમાં કૌટુંબિક હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ 2005, કામકાજનાં સ્થળે સ્ત્રીઓની જાતીય સતામણી, અધિનિયમ 2013 સહિતનાં મુદ્દે સ્ત્રીઓને કાયદાકીય સમજ અપાઈ હતી.
અહીં નોંધનીય છે કે ભરૂચ જીલ્લા સહિત આજે ગુજરાતનાં જુદા-જુદા વિસ્તારોમાં મહિલા દિનની ઉજવણી કરવામાં આવે છે પરંતુ આજનો દિવસ પૂર્ણ થયા બાદ નિયમિત કાર્યોમાં વ્યસ્ત મહિલાઓ માટે કેટલું વિચારશે ? આપના સમજમાં મહિલા દિનનાં કાર્યક્રમોને એક દિવસ પૂરતા સીમિત ન રખાતા મહિલાઓને વધુ સતર્ક બનવાની તાલીમ આપવાનું બીડું કોઈ સંસ્થાએ ઉઠાવવાની તેવું આજનાં કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓએ ચર્ચા કરી હતી.