Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : દહેજની રાલીઝ ઇન્ડિયા કંપનીમાં એસિડ લીકેજ થતાં ભયનો માહોલ સર્જાયો.

Share

ભરૂચ દહેજની રાલીઝ ઈન્ડિયા કંપનીમાં એસિડ લીકેજ થતાં કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. આ સમગ્ર બનાવની મળતી માહિતી અનુસાર એસિડ લીકેજ થતાં કંપનીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે સદનસીબે ફાયર ફાઇટરની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

દહેજમાં આવેલી રાલીઝ ઈન્ડિયા કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વાલ્વમાંથી નાઈટ્રિક એસિડ લીકેજ થતાં પીળા કલરનાં ધુમાડાનાં ગોટેગોટા જોવા મળ્યા હતા જેથી કામદારોમાં અને દહેજ જી.આઇ.ડી.સી ની આજુબાજુ વસવાટ કરતાં સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ ના થતાં તંત્રએ રાહતનો દમ લીધો હતો.

Advertisement

Share

Related posts

પહેલી બુલેટ ટ્રેન સુરત-બીલીમોરા વચ્ચે 2022માં શરૂ થવાની સંભાવના, આઝાદીના 75માં વર્ષને યાદગાર બનાવવા પ્રયાસ..

ProudOfGujarat

આજે નર્મદા જિલ્લામાં 31 માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીની શરૂઆત રેલીનું આયોજન કરાયું.

ProudOfGujarat

લીંબડીના કટારીયા ગામે વીજળીથી પરેશાન ગ્રામજનો એ નાયબ કલેક્ટરને આવેદન પાઠવી કરી રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!