Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચમાં કોરોનાનાં કેસો સતત વધતા તંત્રની ચિંતા વધી, કોવિડ સ્મશાનમાં અંતિમ ક્રિયાનો આંકડો 504 પર પહોંચ્યો.

Share

ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદથી જાણે કે કોરોનાનાં કેસોનો રાફડો ફાટ્યો હોય તે પ્રકારની સ્થિતિનું સર્જન થયું છે, જિલ્લામાં રોજના કોરોનાનાં કેસોએ ગતિ પકડતા તંત્રની સાથે સાથે લોકોની ચિંતામાં પણ વધારો થયો છે.

ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી 164 જેટલા એક્ટિવ કેસો નોંધાઇ ચુક્યા છે, તો બીજી તરફ કોવિડ સ્મશાનમાં અંતિમ ક્રિયાનો આંકડો 500 ને પાર પહોંચ્યો છે, કોવિડ સ્મશાનમાં ગત 10 તારીખથી આજ સુધી 25 જેટલા અંતિમ સંસ્કાર થયા છે, જેમાં પણ છેલ્લા 17 દિવસમાં જ 25 અંતિમ ક્રિયા થઇ છે, તે બાબત પણ ચિંતા સમાન બની છે.

Advertisement

કોવિડ સ્મશાનમાં જાણવા મળ્યા મુજબ રોજનાં 2 થી 3 કોવિડ પ્રોટોકોલથી અંતિમ ક્રિયા થઇ રહી છે, સાથે જ તંત્રમાં અંતિમ ક્રિયા મામલે આંકડા અપડેટ કેમ નથી થતા તે બાબત પણ અહીંયા નોંધનીય બની છે, સરકારી અને ખાનગી લેબમાં થતા ટેસ્ટમાં કોરોનાની સ્થિતી ચિંતાજનક છે.

ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીનાં આંકડાઓની વાત કરીએ તો ૩૯૬૯ લોકો કોરોના પોઝીટીવ આવી ચુક્યા છે, જેમાં મોટા ભાગે લોકોએ કોરોનાને મહાત આપી છે, પરંતુ ફરી એકવાર કેસોની ગતિમાં વધારો થતાં ભરૂચ જિલ્લામાં કોરોનાની સ્થિતિ બગડી રહી હોય તેમ લાગી રહ્યું છે.

કોરોના મામલે હજુ પણ લોકો બેદરકારી દાખવતા હોય તેમ જોકે મળી રહ્યું છે, ભરૂચમાં વહીવટી તંત્ર પણ બગડતી સ્થિતિ સામે લોકોને સામાજીક અંતર, માસ્ક, સેનિટાઈઝરનો ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યું છે.


Share

Related posts

આજરોજ દહેજ જી.આઈ.ડી.સી. માં આવેલ ATG ટાયર કંપનીમાં કામ કરતા કામદારોને લોક ડાઉનનાં સમયનો પગાર ના મળતા રોડ પ્લાન્ટ બંધ કરીને રોડ પર ઉતર્યા હતા .

ProudOfGujarat

અંક્લેશ્વર GIDC ના મસાલાવાલા કોમ્પ્લેક્સના બાંધકામનો વિવાદ

ProudOfGujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગિફટ સિટી ગાંધીનગરમાં યોજાઇ કોન્કલેવ ઓફ સિટી લીડર્સ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!