Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : સિંધી સમાજનાં ઝુલેલાલજીનાં પ્રાચીન મંદિરમાં ચેટીચાંદની સાદગી પૂર્વક ઉજવણી કરાઇ.

Share

આજે ચેટીચાંદ નિમિત્તે ભરૂચનાં તીર્થ સ્થાન ગણાતા શ્રી ઝુલેલાલ મંદિર શ્રી વરુણદેવ મંદિર ભરૂચનાં વર્તમાન 26 માં ગાદેશ્વર પૂજય ઠકુર સાંઇ મનીષલાલ દ્વારા સર્વે સિંધી સમાજનાં ભાઈ-બહેનોને એક વિશેષ સંદેશ પાઠવવામાં આવ્યો છે.

આ વર્ષે ભરૂચમાં કોરોના સંક્રમણને વધતું અટકાવવા માટે ચેટીચાંદનો મેળો સાદગીપૂર્વક ઉજવવાનું આયોજન કરાયું છે તેમજ આ મેળામાં દેશ-વિદેશથી સિંધી સમાજનાં ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહેતા હોય છે. આ વર્ષે કોરોના મહામારીનાં કારણે જનોઈ-મુંડન સંસ્કારનો કાર્યક્રમ સ્થગિત રાખવામા આવ્યો છે.

સર્વે સિંધી સમાજનાં ભાઈઓ-બહેનોને ચેટીચાંદની ખૂબ-ખૂબ શુભેચ્છા પાઠવવામાં આવી છે. કોરોનાનાં વધતાં સંક્રમણને અટકાવવા માટે દરેક સિંધી સમાજનાં ભાઈ-બહેને પોતાના પરિવાર સાથે ઘરમાં ઝુલેલાલ ભગવાનની પ્રતિમાને હાર પહેરાવી 11 દીવા પ્રગટાવી એક લોટામાં જળ લઈ ઝુલેલાલ ભગવાન અને અખા સાહિબનો 3 વાર મંત્રજાપ કરવો સહિતની વિધિ કરી ઘરે-ઘરે ઝુલેલાલ ભગવાનનું પૂજન કરવું તેમ સિંધી સમાજનાં પૂજય મનીષલાલ સાંઇ દીપલાલ ઠકુરએ સર્વે સિંધી સમાજનાં ભાઈ-બહેનો માટે પ્રાર્થના કરી છે. સર્વે સમાજનાં ભાઈ-બહેનોનું સ્વાસ્થય સારું રહે, ધંધા રોજગારમાં બરકત રહે તેવી પ્રાર્થના કરી છે.

Advertisement

Share

Related posts

મહીસાગર જિલ્લામાં કડાણા ડેમની સપાટી ઘટતાં પ્રાચીન મંદિરનાં દ્વાર ખૂલ્યાં.

ProudOfGujarat

વડોદરામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા મેયર એ વેપારીઓ સાથે કર્યો પરામર્શ.

ProudOfGujarat

ભરૂચ : મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મુન્શી આઇ.ટી.આઇ. માં કન્વોકેશન સમારોહ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!