Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં હનુમાન જયંતિની સાદગી પૂર્વક ઉજવણી કરાઇ.

Share

ભરૂચ જીલ્લામાં આજે ઠેર-ઠેર હનુમાન જયંતિ નિમિત્તે સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચનાં સુથીયાપુરામાં આવેલ ચમત્કારી હનુમાનજી મંદિરે આજે નાના બાળકોને ભોજન કરાવી અને કોરોનાની ગાઈડલાઇન અનુસાર અત્યંત સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચનાં સુથીયાપુરામાં આવેલ ચમત્કારી હનુમાનજી મંદિરનાં યુવક મંડળનાં સભ્યએ આ તકે જણાવ્યુ હતું કે અમો સતત 10 વર્ષથી હનુમાન જયંતિ નિમિત્તે ભંડારો, શોભાયાત્રા સહિતનાં આયોજનો હાથ ધરીએ છીએ, પરંતુ આ વર્ષે કોરોના મહામારીનાં કારણે તમામ આયોજનો બંધ રાખવામાં આવ્યા છે. માત્ર મંદિર પરિસરમાં નાના બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું અને સર્વે દર્શનાર્થીઓએ કોરોનાની ગાઈડલાઇન અનુસાર સોશ્યલ ડિસ્ટન્સ, ફરજિયાત માસ્ક સહિત દર્શન કર્યા હતા.

Advertisement

Share

Related posts

કમોસમી વરસાદના કારણે ગુજરાતમાં ખેડૂતોના પાકને થયેલા મોટા નુકસાન અંગે રાજ્ય સરકાર દ્વારા વધારાના સહાય પેકેજની જાહેરાત કરવામાં આવતા દક્ષિણ ગુજરાતના ખેડૂતો માં ખુશી વ્યાપી હતી

ProudOfGujarat

ધોરણ 10 અને 12 માં બે વિષયમાં નપાસ થનારને પણ માસ પ્રમોશન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી.

ProudOfGujarat

અખાત્રીજ જેવા મંગલ દિવસને કોરોનાનું ગ્રહણ !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!