Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

મેહદવિયહ સમાજ દ્વારા ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યુ.

Share

હઝરત સૈયદ મુહમ્મદ જોનપુરી મેહદી-એ-મવઉદ(અ.સ)નાં જન્મ દિવસ નિમિત્તે મુર્શિદીને કિરામની રેહ્બરીમાં મેદવિયહ સમાજ દ્વારા તા ૦૧-૦૨-૧૮ ગુરૂવારના રોજ ડભોઈવાડ મોટી મસ્જિદથી ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું.

અલ્લાહના ખલીફા મેહદી-એ-મવઉદ હિજરી સન ૮૪૭મા ઉત્તર પ્રદેશમાં જોનપૂર શહેરમાં સૈયદ ઘરાનામાં જન્મ થયો હતો. ઈમામ મેહદી-એ-મવઉદ(અ.સ.) અલ્લાહના ખલીફા તરીકે પધારનાર તેમને કુઆર્ન શરીફનો સાચો બોધ આપી હઝરત મુહમ્મદ પયંગબર સાહબ (સ.અ.વ) ની સુન્નતો પર અમલ કરાવી પોતાની દિવ્યવાળીદ્વારા એક બીજાથી મુહબ્બત અને ભાઈચારો રાખવો એ સંદેશ આપ્યો હતો. આવી દીર્ધદર્શિ હસ્તીનો જન્મ દિવસની ઉજવણી વખતે મેહદવિયા સમાજના અબાલવૃધ મેહદવી ભાઈઓ એ જૂલુસ કાઢી પોતાની માન્યતાનો ઈઝહાર કર્યો હતો.

Advertisement

હઝરત સૈયદ મુહમ્મદ જોનપૂરી મેહદી-એ-મવઉદ(અ.સ.)નાં આ કાર્યક્રમનું આયોજન મેહદવિયહ સમાજના આગેવાનો હેઠળ જૂલુસ કમિટીના સભ્યો હારૂનભાઈ કટલરીવાળા, નીસારભાઈ નવાબ અને લિયાકતભાઈ શેરડીવાલાએ કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા કમિટીના સબ્યોએ તનતોડ મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

(હારૂન પટેલ)


Share

Related posts

વાસણા બેરેજના 4 દરવાજા ખોલવામાં આવ્યા, સંત સરોવરનું પાણી સાબરમતીમાં છોડાયું

ProudOfGujarat

વિરમગામ શહેરમાં વૃક્ષારોપણ કરીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

નવસારી : પૂર્ણા નદી પર બનેલો લો લેવલ બ્રિજ વરસાદી પાણીમાં ડૂબ્યો, 11 ગામોના હજારો લોકોની અવરજવર બંધ

ProudOfGujarat
error: Content is protected !!