Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પાનોલી ઔદ્યોગિક વસાહતની શ્રીજી કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો…

Share

ભરૂચની પાનોલી ઔદ્યોગિક વસાહતની શ્રીજી કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

મળતી વિગતો અનુસાર ભરૂચની પાનોલી ઔદ્યોગિક વસાહતની નજીક આવેલ શ્રીજી કેમિકલ કંપનીમાં એકાએક અચાનક ભીષણ આગ લાગી જવા પામી હતી. આગનાં કારણે કેમિકલ કંપનીમાં દોડધામ મચી ગઈ હતી. આગનાં બનાવની સાથે જ 6 થી વધુ ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. આ આગ કયાં કારણોસર લાગી તેનું કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે. તો આગનાં બનાવથી કોઈ જાનહાનિ થઈ છે કે નહીં ? તે પણ જાણી શકાયું નથી.

Advertisement

Share

Related posts

ભરૂચમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી ઉત્સવ – “શતાબ્દી શક્તિ સંગમ ૨૦૨૫”નો ભવ્ય કાર્યક્રમ

ProudOfGujarat

ગોવિંદગુરુ યુનિર્વસીટીની ખોખોની મહિલા ટીમ નેશનલ કક્ષાએ રમવા પહોચી.

ProudOfGujarat

અંકલેશ્વર : ગતરોજ ચાંદની એન્જિનીયરિંગ કંપનીમાં બે જૂથો વચ્ચે મારામારીમાં મોત પ્રકરણમાં આરોપીની જીઆઈડીસી પોલીસે કરી ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!