Proud of Gujarat
FeaturedGujaratINDIA

તાઉ-તે વાવાઝોડાને કારણે ભરૂચ જિલ્લાના ખેડૂતોનાં પાકોમાં તબાહી…

Share

ભરૂચ જિલ્લાના વાગરા અને જંબુસર તાલુકાના દરિયા કાંઠે આવેલાં આસપાસના ગામોમાં સંભવિત વાવાઝોડાની નુકશાની ન થાય અને એક પણ માણસને જાનહાનિ ન થાય તે માટે ભરૂચ જિલ્લા કલેકટર ડૉ. એમ.ડી.મોડિયા અને વહીવટી તંત્ર ખડે પડે કામગીરી કરી રહ્યુ છે.પરંતુ કુદરતી આફતને કાબુમાં લેવું અશક્ય છે તે જ રીતે ભરૂચના કેટલાય ગામોના સીઝનલ પાકોમાં નુકશાન થયું છે જેને પગલે ખેડૂતોમાં ભારે ચિંતા દેખાઈ રહી હતી. ભારે પવન ફૂંકાવાને કારણે તાલાલા ગામના ખેતરોમાં કેરીઓ ખરી પડતા ખેડૂતોને કરોડોનું નુકશાન ભોગવાનો વારો આવ્યો છે, ભરૂચના અંતરિયાળ વિસ્તાર સહિત અંકલેશ્વર, વાલિયા અને નેત્રંગ ખાતે કેળ, પપૈયા અને કેરીના પાકને મોટુ નુકશાન થયું હતું.

નુકશાન થવાથી ખેડૂતમાં માતમનો માહોલ સર્જાયો હતો. ગરીબ ખેડૂત જેનો નિર્ધાર ખેતી જ હોય છે તેવા ખેડૂતોને ભારી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

Advertisement

Share

Related posts

શ્રી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી.ધારીખેડા ખાતે ત્રણ પ્રોજેકટનું લોકાર્પણ સમારંભ યોજાશે

ProudOfGujarat

ભરૂચ:આજરોજ દાંડિયા બજાર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે ૧૮૫માં વાર્ષિક પાટોત્સવની પુર્ણાહુતીનો કાર્યક્રમ યોજાયો…

ProudOfGujarat

શહેરાના અનિયાદ ચોકડી પાસે આવેલ ઢોલીવાસ ખાતે પોલીસ પર પથ્થરમારો કરનાર ૬ ની અટકાયત બીજા ૨૫ વિરૃધ્ધમાં ગુનો નોંધાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!