Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ કલેકટરે પંડિત ઓમકારનાથ હોલ ખાતેના ‘રસીકરણ કેમ્પ’ ની મુલાકાત લઈ રસીકરણ ઝૂંબેશનો લાભ લેવા કરી અપીલ…

Share

ભારત સહિત વિશ્વની અંદર કોરોના મહામારીએ ઘણો કહેર વર્તવ્યો છે. કોરોનાની બીજી લહેરમાં પણ કેટલાય લોકો પરિવાર વિહોણા થયા છે સાથે મુત્યુનો આંક વધ્યો હતો. દેશની સરકાર દ્વારા કોરોના સામે નિરાકરણ મેળવવા માટે રસિકરણનો કાર્યક્રમ છેલ્લા 1 વર્ષથી શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ 45 કે તેથી વધુ વ્યના લોકો જેમનું રસીકરણ હાલ બાકી છે તેઓ માટે 3 સેન્ટરો ઉભા કર્યા છે જેથી જાહેર જનતા લાભ લઇ શકશે.

ભરૂચ જિલ્લામા કોરોના સામેના અમોધ શસ્ત્ર એવા રસીકરણ બાબતે ચાલી રહેલી વિશેષ ઝુંબેશને વેગ આપવા માટે આજરોજ જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાએ ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ ખાતેના ‘રસીકરણ કેમ્પ’ ની મુલાકાત લીધી હતી. રસીકરણ કેમ્પની મુલાકાત લઈ જિલ્લા કલેક્ટરએ ૪૫ થી વધુ ઉમરના લાભાર્થીઓને રસીકરણ બાબતે પ્રોત્સાહિત કર્યા હતા અને પ્રજાજનોને કોઈ પણ જાતના ડર વગર વેક્સીન લેવાની અને રસીકરણ ઝૂંબેશનો મહત્તમ લાભ લેવાની અપીલ કરી હતી. નગરપાલિકાના ચીફ ઓફિસર સંજયભાઈ સોની, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

હનુમાન જયંતિ નિમિતે ભરૂચના રોકડીયા હનુમાન મંદિર ખાતે તડામાર તૈયારીઓ શરૂ….

ProudOfGujarat

ઉમલ્લા રેલ્વે ફાટકનાં બે દિવસનાં મેન્ટેનન્સ કામ દરમિયાન ફાટક પરનો રોડ ડામરયુક્ત કરાયો.

ProudOfGujarat

ઉમરપાડામાં આમ આદમી પાર્ટી આદિવાસી સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરનાર નાયબ કલેકટર વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ ગુનો દાખલ કરી ધરપકડ કરવાની માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!