Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ઝાડેશ્વરના જુના સરદાર બ્રિજના પ્રવેશ દ્વાર પાસે એંગલમાં ટ્રેલર ઘુસી જવાથી અકસ્માત સર્જાયો.

Share

ભરૂચ જિલ્લામાં અવારનવાર અકસ્માતની હોનારત સર્જાતી હોય છે. આજરોજ ભરૂચ જિલ્લાના ઝાડેશ્વર ખાતે આવેલ નર્મદા નદી પર આવેલ જુના સરદાર બ્રિજ પછી પ્રવેશ દ્વાર પાસે એંગલમાં અચાનક જ એક ટ્રક ઘુસી જતા હોનારત સર્જાઈ હતી.

આજરોજ વહેલી સવારે ભરૂચ જિલ્લાના ઝાડેશ્વર ખાતે જુના સરદાર બ્રિજ પર એક ટ્રેલર બ્રિજ પાસે આવેલા એંગલમાં ઘુસી ગયું હતું. એંગલમાં ધડાકાભેર ટ્રેલર ઘુસી જતા ડ્રાઈવર સહિત અન્યની દોડધામ મચી જવા પામી હતી. ટ્રેલરની કેબીનના ભાગના ફુરચા થયા અને એંગલમાં ઘુસ્તાની સાથે જ ડ્રાઈવરે પોતાનો બચાવ કર્યો હતો જેથી સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહિ. અકસ્માત સર્જાતાની સાથે જ લોકોની ભીડ જમા થઇ ગઈ હતી અને અકસ્માતના પગલે થોડા સમય માટે થોડો ઘણો ટ્રાફિક સર્જાયો. જાણવા મળ્યું કે બ્રિજ જૂનો થઇ ગયો હોવાને કારણે ભારે વાહનોના પ્રવેશ બંધી માટે બ્રિજની આગળ એંગલ લગાવવામાં આવ્યા છે.

Advertisement

Share

Related posts

ભાવનગર શહેરના અલકા ટોકિઝ પાસે મોડી રાત્રે યુવકની હત્યા થતા પોલીસ તંત્ર દોડી ગયુ હતુ.આ હત્યા જુની અદાલતમાં થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવે છે.

ProudOfGujarat

ડાંગ જિલ્લાની બીલીઆંબા પ્રાથમિક શાળાનો દેશમાં IGBC અંતર્ગત ગ્રીન યોર સ્કુલ પ્રોગ્રામ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો.

ProudOfGujarat

રાજપીપલા : નિવાસી અધિક કલેકટર એચ .કે.વ્યાસના અધ્યક્ષપદે યોજાયેલ સમિતિમાં “મુખ્યમંત્રી બાળ સેવા યોજના” ની અમલીકરણ અંગે અપાયું વિસ્તૃત માર્ગદર્શન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!