Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કોરોનાની બીજી લહેર બાદ ઓસારા મહાકાળી માતાનું મંદિર દર્શનાર્થે ખુલ્લું મુકાયું.

Share

છેલ્લા ઘણા મહિનાઓથી કોરોના મહામારીએ આતંક મચાવ્યો હતો જેને ઓગલે સરકારી દ્વારા જાહેર સ્થળો બંધ કરવામાં આવ્યા હતા પરંતુ હવે કોરોના કેસમાં જંગી ઘટાડો થવા પામ્યો છે અને હવે આંકડો નહિવતને બરાબર છે ત્યારે સરકાર દ્વારા ધીમે ધીમે બધું ખુલ્લું કરવામાં આવ્યું છે.

ભરૂચ જિલ્લાનું સુપ્રસિદ્ધ વિશ્વ શાંતિ ઓસારા મંદિર પણ બંધ રહેતા ભક્તો મંદિરના પ્રવેશ દ્વાર નજીકથી જ દર્શન કરી વિલા મોઢે પરત ફરતા હતા. જોકે, હવે કોરોના નહીવત થતાં જ મંદિર ભક્તો માટે દર્શન અર્થે ખુલ્લા મુકવામાં આવ્યા છે, ત્યારે પ્રથમ દિવસે જ ભક્તોએ સરકારની ગાઈડલાઈનના પાલન સાથે ઓસારા સ્થિત વિશ્વ શાંતિ મહાકાળી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Advertisement

ભરૂચ જિલ્લાના નેશનલ હાઇવે નંબર 48 થી 7 કિલોમીટરના અંતરે આવેલ ઓસારા ગામે વિશ્વશાંતિ મહાકાળી માતાજીનું મંદિર સમગ્ર ગુજરાતના ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. જેના કારણે સમગ્ર ગુજરાતમાંથી ભક્તો પગપાળા પણ દર્શન અર્થે અહી આવતા હોય છે. પરંતુ ભરૂચ જિલ્લામાં કોરોનાની બીજી લહેર ભયંકર સાબિત થતા તમામ મંદિરો ભક્તો માટે બંધ કરવામાં આવ્યા હતા. જોકે, સમગ્ર ભરૂચ જિલ્લામાં કોરોના નહીવત થતાં સરકાર દ્વારા મંદિરોને પુનઃ દર્શન અર્થે ખોલવાની પરવાનગી આપવામાં આવી છે.

જેમાં સૌપ્રથમ માતાજીના દર્શનાર્થે આવતા ભક્તોને મંદિરના પ્રવેશ દ્વાર નજીક હાથ સેનેટાઇઝ કરાવી માસ્ક ન હોય તો માસ્ક આપી તેઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. તો મંદિર પરિસરમાં પણ સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે ભક્તોને દર્શન કરવા માટે અપીલ કરાઈ હતી.

રિધ્ધી પંચાલ, ભરુચ.


Share

Related posts

ભરૂચ ના કોઠીયા માં ખેડૂતોના ખેતરમાં જીઆઇડીસી નું કેમિકલ યુક્ત પાણી ભળી ગયું તેમ છતાં જીપીસીબી ભેદી નું મૌન

ProudOfGujarat

ઝઘડીયા તાલુકા મથકે આધારકાર્ડમાં મોબાઇલ નંબર અપડેટ કરવાનો કેમ્પ યોજાયો.

ProudOfGujarat

નવરાત્રી-દિવાળીમાં લોન્ચ થનારા 100 પ્રોજેક્ટ પર પૂર્ણવિરામ, અમદાવાદમાં રિઅલ એસ્ટેટને 1 મહિનામાં 5000 કરોડનું નુકસાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!