Proud of Gujarat
GujaratFeaturedINDIA

આખરે 20 દિવસના ઉકળાટ બાદ ભરૂચ-અંકલેશ્વર પંથકના વાલિયા- ઝઘડીયા વિસ્તારમાં વરસાદની ધીમીધારે એન્ટ્રી.

Share

ભરુચ-અંકલેશ્વર પંથકમાં છેલ્લા 20 દિવસના ભારે ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. આખરે મેઘરાજા વરસ્યા. અંકલેશ્વરમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો બપોરના સમયે લાંબા સમય બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વાલીયા ઝઘડીયા વિસ્તારોમાં પૂર જોરે વરસાદનું આગમન થયું હતું.

થોડા દિવસોના વિરામ બાદ કડાકા ભડાકા સાથે ફરી મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. જેથી ભારે બફારા અને ઉકળાટનો અનુભવ કરતાં લોકોએ વરસાદમાં ભીંજાવાની મોજ માણી હતી, હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે.

Advertisement

વરસાદનું આગમન થતાં જ લોકો તથા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. આગામી થોડા દિવસો દરમિયાન રાજ્યમાં હજુ વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગની આગાહી મુજબ ભરૂચ સહિત અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.


Share

Related posts

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની દીકરીઓનો કમાલ : ભરૂચ જિલ્લામાં ધોરણ-૧૦માં સતત ત્રીજા વર્ષે ૧૦૦% પરિણામ

ProudOfGujarat

લગ્નમાં નવા કપડાં ના પહેરનારા પણ આત્મહત્યા કરી શકે છે…જાણો વધુ.

ProudOfGujarat

ઉત્તરપ્રદેશના સોનભદ્ર વિસ્તારમાં થયેલ નરસંહારની માહિતી લેવા જતા કોંગ્રેસના રાષ્ટ્રીય કક્ષાના મહામંત્રી શ્રીમતી પ્રિયંકા ગાંધીને રોકવામાં આવતા ભરૂચ ખાતે તીવ્ર વિરોધ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!