Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ને.હા. 48 પર ધૂળના કારણે ધુમ્મસ જેવો માહોલ સર્જાયો…

Share

ચોમાસાની સીઝન બે મહિના અગાઉ શરૂ થઈ ગઈ છે ત્યારે તંત્ર દ્વારા બનાવામાં આવી રહેલા રસ્તાઓની હાલત દયનીય બની છે ત્યારે તંત્રની પોલો ખૂલી રહી છે. રસ્તાઓની હાલત એટલી ખરાબ છે કે વાહનચાલકો આખરે કંટાળી અને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.

એ જ રીતે ભરૂચના જૂના બ્રિજ સરદાર બ્રિજ પરથી લગભગ ત્રણથી ચાર કિલોમીટરનાં રસ્તા પર મસમોટા ખાડા પડી જવાને કારણે ધૂળ ઘણી ઊડી રહી છે જેને પગલે સરદાર બ્રીજથી મુલડ ટોલટેક્ષ વચ્ચે 0 વિઝિબ્લીટી જેવો માહોલ સર્જાયો હતો. રસ્તાઓની હાલત ગંભીર હોવાને કારણે મોટા વાહનો દ્વારા રસ્તા પર સતત ધૂળ ઊડી રહી છે જેને કારણે ધુમ્મસ જેવો માહોલ સર્જાયો હતો. તે સાથે સતત ઊડી રહેલ ધૂળને કારણે ટુ વ્હીલર ચાલકોને ભારે જહેમત ઉઠાવી પડી રહી છે.

તંત્ર દ્વારા રસ્તાઓ સમારકામની કામગીરી તો હાથ ધરવામાં આવી છે પરંતુ વહેલી તકે જો કામગીરી પૂર્ણ કરવામાં આવે તો વાહનચાલકોને મુશ્કેલીમાંથી વહેલી ટકે છુટકારો મળી રહેશે.

Advertisement

Share

Related posts

યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી દ્વારા એસ્પાયર ડિસ્પિટિવ સ્કિલ ફાઉન્ડેશન સાથે એમઓયુ કર્યા.

ProudOfGujarat

બહુજન ક્રાંતિ મોરચા પ્રેરિત ભારત બંધનાં આહવાનને પાલેજમાં જબરજસ્ત પ્રતિસાદ.

ProudOfGujarat

ધરમપુરના મોટી ઢોલડુંગરી ગામે મોડી રાતે એક મકાનમાં આગ ભભૂકીશોર્ટસર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!