Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ઘણા મહિનાની ઉકળાટ બાદ મેહુલિયો મન મૂકીને વરસ્યો : વાતાવરણમાં ઠંડકનો અનુભવ.

Share

આખરે મેહુલિયો વરસ્યો, ભરૂચ પંથકમાં બપોર બાદથી મેઘરાજાનું આગમન થયું હતું. છેલ્લા એક મહિનાથી પંથકમાં ઉકળાટનો માહોલ હતો. હવામાન ખાતાની આગાહી પ્રમાણે 18 થી 23 ઓગષ્ટ દરમિયાન સમગ્ર રાજયમાં વરસાદી માહોલ જોવાં મળશે. વરસાદી આગાહીનું કારણ બંગાળની ખાડીમાં લો પ્રેશર હોવાનું એક અહેવાલ અનુસાર જાણ થઈ હતી.

ભરૂચ પંથકમાં લોકોએ આ વર્ષે વરસાદને લઈ અને આશા જ છોડી દીધી હતી ત્યારે આજરોજ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. લોકોને કાળઝાળ ગરમીમાંથી હવે છુટકારો મળશે જેથી લોકોએ રાહતનો શ્વાસ અનુભવ્યો હતો. પંથકના ખેડૂતો કે જેનો પાક નિષ્ફળ જવાને આરે હતો તેઓમા ખુશીનો માહોલ સર્જાયો હતો. ભરૂચ જીલ્લામાં લગભગ એક મહિના પછી વાદળછાયું વાતાવરણ થઈ અને મેઘરાજા વરસ્યા હતા.

Advertisement

ચિંતાતુર બનેલા શહેરીજનો અને ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ હતી. નાનાં ભૂલકો સહિત મોટાઓ પણ વરસાદી પાણીમાં નાહવા અને કાળઝાળ ગરમીમાથી ઠંડક અનુભવા ઘરની બહાર નીકળી અને વરસાદની મજા માણી હતી. આ વર્ષે દર વર્ષ કરતાં વરસાદનું પ્રમાણ ઓછું જણાઈ રહ્યું છે.

રિધ્ધી પંચાલ, ભરુચ


Share

Related posts

વડોદરામાં 200 કરોડમાં બનેલા અટલ બ્રિજના 10 મહિનામાં જ પોપડા ખર્યા, કાર પર પથ્થર પડતાં ચાલકનો આબાદ બચાવ

ProudOfGujarat

લીંબડી તાલુકા કોંગ્રેસ સમિતિએ મુખ્ય બજારમાં મોંઘવારી વિરુદ્ધ રેલી કાઢી.

ProudOfGujarat

ગોધરા તાલુકાનો કલામહોત્સવ બી.આર .સી ભવન અંબાલી ખાતે યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!