Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરુચ : ખત્રિ સમાજ દ્વારા કાજરા ચોથની ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી કરાઇ

Share

શ્રાવણ વદ ચોથના દિવસે સમગ્ર સમાજના ખત્રિ સમાજ દ્વારા કજિયા ચોથની ઉજવણી કરવામાં આવે છે જેમાં શ્રાવણ મહિનાની અગિયારસના દિવસે ખત્રિ સમાજ ના લોકો ઘરે ઘરે માતાજીનાં જવારા વાવતા હોય છે અને અને ચોથના દિવસે તેની પુજા કરી હિંગરાજ માતાના મદિરમાં અને સિંધોઈમાતાના મંદિરમાં કાજરાને લાવી અને તેને નાચવામાં આવે છે .

તે બાદ તેઓને ફરીથી હિંગરાજ માતાના મદિરમાં લઈ જઇ અને નચાવામાં આવે છે અને ઘરે ઘરે નમાવામાં આવે છે . તે બાદ રાત્રિના સમયે જવારનું વિસર્જન કરવામાં આવે છે . ક્ષત્રિય સમાજનો કજિયા ચોથ એ ઘણો મોટો તહેવાર છે . જ્યારે પરશુરામ ભગવાને ઘરતીને ક્ષત્રિય વિહોણી કરવા નીકળ્યા હતા ત્યારે હિંગરાજ માતાએ ક્ષત્રિયોની રક્ષા કરી હતી તેની યાદમાં આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે .

Advertisement

ગત વર્ષે કોરોના મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કોઈ ઉજવણી કરવામાં આવી ન હતી જે બાદ આ વર્ષે ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી અને સમાજના લગભગ દરેક લોકોએ ઉજવણીમાં ભાગ લીધો હતો અને માતાની ખૂબ નચાવી અને સમગ્ર ભારત કોરોના મુક્ત થઈએ તેવી પ્રાથના કરી હતી .

રિધ્ધી પંચાલ , ભરુચ .


Share

Related posts

અંકલેશ્વર રાજપીપળા ચોકડીથી જી.આઇ.ડી.સી. તરફ જવાનો રસ્તો સ્થાનિકો દ્વારા બંધ કરી આક્રોશ વ્યકત કર્યો…

ProudOfGujarat

ભરૂચ નગરના ક્ટોપોર ઢોળાવ વિસ્ત્તરમા જવેલસૅનિ દુકાનમા ૧,૯૭,૦૦૦ નિ મતાની ચોરી

ProudOfGujarat

વડોદરામાં પત્નીએ પતિનું ગળું દબાવી, વીજકરંટ આપી હત્યા કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!