Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : નબીપુર રેલવે સ્ટેશન પર અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળ્યો.

Share

નબીપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પરથી એક 66 વર્ષના આશરાના વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગતરોજ તા. 11/10/2021 ના એક 66 વર્ષની ઉંમરના વૃદ્ધનો મૃતદેહ મળી આવતા ભરૂચ રેલવે પોલીસે તપાસ હાથ ધરી હતી. વૃદ્ધ કોઈ બીમારીને કારણે મૃત્યુ પામ્યો હોવાનું પોલીસનું અનુમાન છે.

ભરૂચ રેલેવે પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ દિનેશભાઇએ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવી મરનારના વાલીવારસોની શોધના ચક્રો ગતિમાન કર્યા છે. મરનારે ગુલાબી રંગનો આખી બાયનો શર્ટ તથા ભૂરા રંગનું પેન્ટ પહેરેલ છે. વાલી વારસોએ ભરૂચ રેલવે પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે.

Advertisement

યાકુબ પટેલ, પાલેજ


Share

Related posts

નેત્રંગ તાલુકો બન્યાનાં પાંચ વર્ષ પછી પણ ૨૧ ગામો નેટવર્ક વિહોણા હોવાથી ૧૫,૦૦૦ થી વધુુ આદિવાસીઓમાં રોષ જણાઇ રહ્યો છે.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોરોના ના 24 પોઝિટિવ કેસ નોંધાયા

ProudOfGujarat

ભરૂચના કસક વિસ્તાર સ્થિત જલારામ મંદિર ખાતે પૂ. સંત શ્રી જલારામબાપાની ૨૧૯મી જન્મ જયંતિ મહોતસવની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!