ઉમરપાડા તાલુકા મથક ખાતે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત મેરેથોનનો કાર્યક્રમ યોજાયો હતો. ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત ગમત મંત્રાલય નેહરૂ યુવા કેન્દ્ર-સુરત સ્વચ્છ ભારત અંતર્ગત મેરેથોનનું આયોજન સવારે ૯.૦૦ કલાકે મામલતદાર કચેરી, ઉમરપાડાથી ચાર રસ્તા સુધી કરવામાં આવેલ જેમાં યુવક યુવતીઓ મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી સ્ટાફ એક્શન યુવા ગૃપ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ કાર્યક્રમમાં જોડાયા સાથે સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમા ઉપસ્થિત અતિથિ વિશેષ તાલુકા પ્રમુખ શારદાબેન આર ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી, માલતદાર કચેરીના ધીરેન વસાવા, યોગ કોચ જયંત વસાવા, નેહરૂ યુવા કેન્દ્ર, સુરતના જિલ્લા યુવા કાર્યક્રમના સલાહકાર વિજય વસાવા, રાષ્ટ્રીય સ્વયંમ સેવક બ્લોક કો-ઓડીનેટર પરેશ વસાવા અને પંકજ સેન વગેરે જોડાયા હતા.
Advertisement
વિનોદ મૈસૂરિયા : વાંકલ