Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ઈદ એ મિલાદ-ઉન-નબીના પવિત્ર દિવસે કાદરી જબ્બારી ફાઉન્ડેશન દ્વારા અનેક જગ્યાઓ પર ફ્રૂટ વિતરણ કરાયું.

Share

ઇસ્લામ ધર્મના અંતિમ પયગમ્બર હઝરત મહંમદ સાહેબ જેમને અલ્લાહે પોતે દેવદૂત જિબ્રાઈલ દ્વારા કુરાનનો સંદેશ આપ્યો હતો. મુસ્લીમ સમાજ હંમેશા તેમના માટે સંપૂર્ણ આદર ભાવ ધરાવે છે. આ દિવસે આખી રાત પ્રાર્થના ચાલે છે. પેગંબર મોહમ્મદના પ્રતીકાત્મક પગલાઓના નિશાન પર પ્રાર્થના કરવામાં આવે છે. આ દિવસ પેગંબર મોહમ્મ્દ હજરત સાહેબને વંચાય છે અને તેમને યાદ કરાય છે. ત્યારે કોઈક જુલુસ કાઢીને તો લોકોની મદદ કરી અને ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવી હતી. ઈદ એ મિલાદ-ઉન-નબીના પવિત્ર દિવસે કાદરી જબ્બારી ફાઉન્ડેશન દ્વારા ભરૂચમાં અનેક જગ્યાઓ પર ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું.

ભરૂચમાં ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, નારી સંરક્ષણ કેન્દ્ર, વડીલોનું ઘર, સિવિલ હોસ્પિટલ, સેવા યજ્ઞ સમિતિ, સેવાઆશ્રમ, દારુલ યતામાં, જુવેનાઈલ હોમ કુકરવાડા અનેક જગ્યાઓ પર ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

રાજપીપળા : ગોરા ગામ ખાતે ૧૫ કરોડના ખર્ચે નર્મદા ઘાટ બનાવવાની કામગીરી પૂર્ણતાને આરે.

ProudOfGujarat

માંગરોળમાં ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની રહેલી 700 કરોડની ઉદવહન સિંચાઇ યોજનાની પાઇપલાઇનમાંથી ઠેર ઠેર ચેકવાલની ચોરી…

ProudOfGujarat

ખંડગ્રાસ સૂર્યગ્રહણની અદભૂત ખગોળીય ધટનાને નિહાળવા અને ખાસ કરીને વિદ્યાર્થીઓ આ અવકાશી નજારાને માણી શકે તે માટે ભરૂચ જીલ્લાની અનેક શાળાઓમાં ખાસ આયોજન હાથ ધરાયા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!