Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ માંડવા ટોલ પ્લાઝા નજીક ખાનગી લકઝરી બસમાં ભીષણ આગ લાગી.

Share

ભરૂચ જિલ્લાના નેશનલ હાઇવે નં.48 માંડવા ટોલ પ્લાઝા નજીક ગઇકાલે રાત્રે એક ખાનગી ટ્રાવેલર્સ બસમાં અચાનક જ ભીષણ આગ લાગી હતી.

આ બસ સુરતથી મુસાફરો લઈને અમરેલી તરફ જઇ રહી હતી ત્યારે અંકલેશ્વર અને ભરૂચ વચ્ચેથી પુરપાટ ઝડપે પસાર થઈ રહી ત્યાં જ ટાયરમાં આકસ્મિક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં મુલદ ટોલ પ્લાઝાથી માંડ 500 મીટર દૂર બસને થોભાવી દેવાઇ હતી. આ આગને પગલે મુસાફરોએ ચિચાયરીઓ કરતા સમય સૂચકતા વાપરી સળગતી બસમાંથી બહાર નીકળી આવતા તમામનો આબાદ બચાવ થયો હતો. આગ અંગે અંકલેશ્વર DPMC અને ભરૂચ પાલિકાને કરતા 3 ફાયર ટેન્ડરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. ઘટનાને પગલે અંકલેશ્વરથી ભરૂચ તરફની હાઈવેની લેન ઉપર વાહનોનો ચક્કાજામ થઈ ગયો હતો. આ આગના બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

Advertisement

Share

Related posts

કરજણ : ફરાસખાનાનો સામાન ભાડે લઈ વેચી મારતો ઈસમ વાહન સાથે ઝડપાયો.

ProudOfGujarat

રૂપાણી સરકાર ગઈ પરંતુ તેઓના હોલ્ડિંગો હજુ પણ વાલિયા ચોકડી પર જોવા મળ્યા..!

ProudOfGujarat

ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિયેશન દ્વારા મહિલાઓ માટે પ્રથમ વખત ક્રિકેટ કોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આવશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!