Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.૦૫ મી ડિસેમ્બર સુધી મતદારયાદી સુધારણા કાર્યક્રમની મુદ્દત લંબાવાઇ.

Share

ભારતના ચૂંટણી પંચ દ્વારા ૧૮-૧૯ વયજુથના વધુમાં વધુ નાગરિકો મતદાર તરીકે નોંધણી કરે તે માટે મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્ર્મ – ૨૦૨૨ તા.૦૧/૧૨/૨૦૨૧ થી તા.૦૫/૧૨/૨૦૨૧ સુધી લંબાવવામાં આવેલ છે.

ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીમાં ફોર્મ નં.૬-૩૧૧૧૦, ફોર્મ નં.૭-૮૫૦૮, ફોર્મ નં.૮-૯૯૧૯ અને ફોર્મ નં.૮ક-૨૬૫૮ મળેલ છે. જિલ્લામાં આ સમયગાળા દરમ્યાન બુથ લેવલ ઓફિસરો પાસે નાગરિકોના ઘેર-ઘેર મુલાકાત કરાવી ૧૮-૧૯ વયજુથના કે તે સિવાયના વયજુથના મતદાર તરીકે નોંધણી કરાવેલ ન હોય તેવા નાગરિકોના ફોર્મ નં.૬ મેળવવા તથા મૃત્યુ પામેલ મતદારોના ફોર્મ નં.૭ મેળવવા ઘનિષ્ઠ પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે. જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી બાકી લાયક નાગરિકોને બુથ લેવલ ઓફિસરો પાસે અથવા ઓનલાઈન પ્લેટફોર્મ nvsp.in, વોટર હેલ્પલાઈન એપ્લિકેશન તથા વોટર પોર્ટલના માધ્યમથી ફોર્મ ભરવા અપીલ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ઊંચામાળા ખાતે ડો.મતાઉદ્દીન ચિશ્તીની વિશેષ ઉપસ્થિતીમાં ભવ્ય પ્રકૃતિ પર્વ યોજાશે.

ProudOfGujarat

વલણ ગામે ટી. કે. આઈડિઅલ ટ્રસ્ટ અને ક્લિનિક દ્વારા 6 ઠ્ઠો હિજામા કેમ્પ (કપિંગ થેરાપી) યોજાયો

ProudOfGujarat

ભરૂચનાં નેત્રંગ ખાતેથી પશુ ભરેલ બે ટ્રકો પોલીસે ઝડપી પાડી, 7.95 લાખનાં મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!