Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ ૧૦૮ ઈમરજન્સી સેવા 2021 ના વર્ષમાં બની લોકોની જીવન સંજીવની.

Share

ભરૂચ ૧૦૮ ઈમરજન્સી સેવા છેલ્લા 14 વર્ષથી ભરૂચમાં તેમજ આખા ગુજરાતમાં લોકોનો જીવ બચાવવાનું ઉત્તમ કાર્ય કરી રહી છે. કોઈપણ પ્રકારની ઈમરજન્સી આવે તો હંમેશા ૧૦૮ ઇમરજન્સી સેવાના કર્મચારીઓ ખડે પગે રહી લોકોનો જીવ બચાવે છે. વર્ષ ૨૦૨૧ ની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં કુલ 24 હજાર જેટલી ઈમરજન્સી નોંધાઈ હતી જેમાં પ્રેગ્નન્સીને લગતી 9532 ઈમરજન્સી, માર્ગ અકસ્માતને લગતી 1697 ઈમરજન્સી, કોરોનાની 1470 ઇમર્જન્સી, શ્વાસ લેવામાં તકલીફ પડવી 1067 ઈમરજન્સી, પેટમાં દુખાવાની 1493 ઈમરજન્સી, ઝેરી દવા પીવાની 673 ઈમરજન્સી તેમજ હૃદય રોગને લગતી 418 ઇમર્જન્સી તેમજ બાકીની અન્ય ઇમરજન્સીને ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા પ્રતિસાદ આપી લોકોનો જીવ બચાવવાની આ મોહીમમાં મહત્વનો ફાળો આપ્યો હતો આ બાબતની જાણકારી ભરૂચ ૧૦૮ ઇમરજન્સી સેવાના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકરે આપેલ હતી.

Advertisement

Share

Related posts

હાલોલ: ૨૪મીજૂને લીગલ સર્વિસીઝ કેમ્‍પ યોજાશે

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે નવા કોવીડ ટેસ્ટ સેન્ટર શરૂ કરવાની માંગ સાથે ધરણાં કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

લીંબડી ખાતે શ્રી જીએસ કુમાર વિદ્યાલયમાં ડો. રાજેન્દ્રપ્રસાદ વિકાસ વર્તુળ કલા ઉત્સવ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!