Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસરથી ભરૂચ આવતી એસ.ટી.બસનું પાછળનું વ્હીલ નીકળી જતાં મુસાફરોનાં જીવ ચોટયા ટાળવે…

Share

ભરૂચ જિલ્લાના જંબુસર ખાતેથી આજે અકસ્માતની એક વિચિત્ર ઘટના સામે આવી હતી, જેમાં જંબુસરથી ભરૂચ તરફ આવતી એક એસ.ટી બસના પાછળના ભાગે આવેલ વ્હીલ ચાલુ બસે નીકળી જતા બસમાં સવાર મુસાફરોના જીવ ટાળવે ચોટયા હતા.

અકસ્માતની ઘટનામાં બસ ચાલકની સમય સૂચકતાને પગલે બસમાં સવાર ૫૦ થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે, જોકે સવારની ઘટના બાદ ૧ કલાકનો સમય વિત્યો હોવા છતાં એસ.ટી.ડેપો દ્વારા અન્ય બસ નહિ ફાળવતા બસમાં સવાર મુસાફરો રઝળયા હતા.

Advertisement

મહત્વની બાબત છે કે અચાનક આખે આખું ટાયર ચાલુ બસે નીકળી જવું તે બસની સર્વિસ ઉપર સવાલો ઉભા કરે છે, આખરે આ પ્રકારે ખતરાજનક બસો તંત્ર દોડાવી મુસાફરોના જીવ સાથે ચેડાં કરતી હોવાની બાબત આ અકસ્માતની ઘટના બાદથી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી.


Share

Related posts

ભરૂચ ના નંદેલાવ નજીક ડમ્પિંગ સાઈડ માંથી મહિલા ની કરપીણ હત્યા કરાયેલ મૃતદેહ મળ્યા ના મામલામાં ભરૂચ સી ડિવિઝન પોલીસે પતિ ની પ્રેમિકા ની અટકાયત કરી હતી.

ProudOfGujarat

ભરૂચ : પાલેજ સ્ટેશને ટ્રેન સામે પડતું મૂકી સુરતનાં કોસાડ ગામનાં આધેડ વ્યક્તિએ આપઘાત કર્યો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના વાલિયા થી નેત્રંગ જતા માર્ગ ઉપર ગત રાત્રીના સમયે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો..જેમાં એક વ્યક્તિ નું મોત નીપજ્યું હતું.તેમજ ૪ થી વધુ લોકો ઘાયલ થયા હતા…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!