Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવા આમ આદમી પાર્ટી એ પાઠવ્યું આવેદન.

Share

ભરૂચ આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર પાઠવી આક્ષેપ કર્યો હતો કે ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા વર્ષોથી સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ તેમજ વિવિધ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા તેઓના મળતિયાઓ અને વહીવટદારો દ્વારા ખૂબ જ પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે.

તાજેતરમાં મનોજ અગ્રવાલ આઇપીએસ પોલીસ કમિશનર રાજકોટ શહેર અને તેમના તાબાની ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર ગઢવી દ્વારા રાજકોટના વેપારી સાથે થયેલ છેતરપિંડી નાણાં આરોપી પાસેથી વસુલી ૭૫ લાખ જેવી માતબર રકમ મનોજ અગ્રવાલ પોલીસ કમિશનર તથા ઇન્સ્પેકટર ગઢવી દ્વારા વસૂલવામાં કરી ભ્રષ્ટાચાર આચરવાનો મામલો સામે આવ્યો છે. જે બાબતે આમ આદમી પાર્ટી ભરૂચ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે આવા ભ્રષ્ટ અધિકારીઓની વિરોધ તાત્કાલિક કડક તપાસ કરી ધરપકડ સાથે ડિસમિસ કરવામાં આવે તેવી માંગ આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લાના ઉપપ્રમુખ મુન્નાભાઈ શેખ, ગોપાલ રાણા શહેર પ્રમુખ, અનિલ પારેખ, ભદ્રેશ ભાઈ, સાદીકભાઈ લવલી સહિતના આગેવાનો અને કાર્યકરો એ ગૃહ વિભાગ ગાંધીનગરને સંબોધતું આવેદનપત્ર જિલ્લા કલેકટરને પાઠવ્યું હતું..

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર : ઈન્ડીયન આર્મીમાંથી સેવા નિવૃત્ત થઈને વતન પરત ફરેલા ફૌજી જવાનોનું ઉમળકાભેર સ્વાગત કરાયું.

ProudOfGujarat

માંગરોળ અને ઉમરપાડા તાલુકાના ૧૪૭૧ લાભાર્થીઓને વન, આદિજાતિ મંત્રીના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મંજુરીપત્રોનું વિતરણ કરાયું.

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાબણભા ડુંગર પ્રવાસન કેન્દ્ર અને ઉમરપાડા દેવઘાટ પ્રવાસન કેન્દ્ર કોરોના વાયરસના જોખમના પગલે વન વિભાગ દ્વારા ૩૧મી માર્ચ સુધી બંધ કરી દેવામાં આવ્યા છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!