Proud of Gujarat
FeaturedGujaratINDIA

બેરોજગારીના પ્રશ્ને પદયાત્રા કરનાર યુવક મનોજ વ્યાસ પાલેજ પહોંચતા મારવાડી સમાજ દ્વારા સ્વાગત કરાયું.

Share

રાજસ્થાનમાં યુવાનોને રોજગારી મળે એ શુભહેતુ સાથે ગંગાપુરથી મનોજ વ્યાસ નામના યુવાને પદયાત્રા યોજી છે. તેઓ દેશના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને મળીને રજુઆત કરશે. ગુજરાતમાં મનોજ નામનો યુવાન આવી પહોંચ્યા બાદ તેઓનું મોડાસા, લુણાવાડા, ગોધરા, હાલોલ, વડોદરા, કરજણ ખાતે મારવાડી સમાજના લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે આવી પહોંચેલા મનોજ વ્યાસનું પાલેજ ખાતે રહેતા મારવાડી સમાજના લોકોએ ભાવભીનું સ્વાગત કર્યું હતું.

મીડિયા સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું કે કે હું મુકેશ અંબાણીનો એક વિડીયો નિહાળી તેઓથી પ્રભાવિત થયો હતો. મનોજ ઘણા સમયથી મુકેશ અંબાણીનો ફેન હોવાનું પણ જણાવ્યું હતું. મનોજ વ્યાસનો મુખ્ય ઉદ્દેશ રાજસ્થાનમાં મુકેશ અંબાણી પોતાનો કોઈ પ્લાન્ટ સ્થાપિત કરી રાજસ્થાનના યુવાનોને રોજગારી મળે એ મનોજ વ્યાસનો મુખ્ય હેતુ હોવાનું તેઓએ જણાવ્યું હતું. મનોજ વ્યાસને પૂર્ણ આશા છે કે મુકેશ અંબાણી મારી વાત ધ્યાન પર લેશે. પાલેજ ખાતે આવી પહોંચેલા મનોજ વ્યાસનું મારવાડી સમાજના પપ્પુ ચૌધરી, મુકેશ ગુજ્જર, સાવર મલ દેવા સિંહ તેમજ મદનલાલ જાટે ફૂલહારથી સ્વાગત કર્યું હતું.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

નર્મદાના વકીલો અચોક્કસ મુદતની હડતાલ પર જતા રાજપીપળાની તમામ કોર્ટોની કામગીરી ઠપ્પ…

ProudOfGujarat

શેત્રુંજી ડેમમાંથી રબી પિયત માટે પાણી છોડાતા 5825 હેક્ટર જમીનમાં ખેતીને ફાયદો.

ProudOfGujarat

વોટરલૂ યુનિવર્સિટી કેનેડામાંથી મેનેજમેન્ટ સાયન્સમાં પી.એચ.ડી ની ડીગ્રી મેળવી દાઉદી વોરા સમાજનું ગૌરવ ગોધરાના યુવકે વધાર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!