Proud of Gujarat
INDIAFeaturedGujarat

યુવા ભાજપ પ્રેરિત આઝાદીકા અમૃત મહોત્સવ યાત્રા નેત્રંગ ખાતે આવતા સ્વાગત કરાયું.

Share

દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે ભાજપ સ્થાપના દિવસથી સમગ્ર ગુજરાતમાં આઝાદીકા અમૃત મહોત્સવ યાત્રા ચાલી રહી છે. આજ રોજ તા.૯ મી એપ્રિલના રોજ ભરૂચ જિલ્લાની ૧૫૨-ઝઘડિયા વિધાનસભામાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારે વાલિયાથી શરૂ થયેલી આ યાત્રા બપોરે નેત્રંગ પહોંચતા તાલુકાના સંગઠનના હોદ્દેદારો તેમજ આગેવાનોએ ભારતીય જનતા યુવા મોરચાના ભરૂચ જિલ્લા પ્રમુખ ઋષભ પટેલ સહિત જિલ્લાના યુવા મોરચાના હોદેદારોનું સ્વાગત કરી યાત્રાને આગળ પ્રસ્તાન કરાવી અભિનંદન આપ્યા હતા.

દેશની આઝાદી પાછળ અનેક યુવાનોએ પોતાના જીવની આહુતિ આપી છે. દેશ માટે મોતને ગળે લગાનાર વીર શહીદોની વાતો લોકો સુધી પહોંચે અને દેશના યુવાનો તેમની દેશભક્તિમાંથી પ્રેરણા લે તે માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આઝાદીના 75 વર્ષની દેશ ભરમાં ઉજવણી થઈ રહી છે. જેના ભાગ રૂપે ભાજપના સ્થાપના દિવસથી ગુજરાતમાં આઝાદીકા અમૃત મહોત્સવ યાત્રા શરૂ થઈ છે.ભરૂચ જિલ્લા યુવા ભાજપે પણ 6 એપ્રિલના રોજ જાંબુસરના અણખી ખાતેથી યાત્રાની શરૂઆત કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચમાં કરુણા એમ્બ્યુલન્સનાં 5 વર્ષ પૂર્ણ થતાં કેક કાપી ઉજવણી કરાઇ.

ProudOfGujarat

શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ ખાતે પ્રોફેસર અરુણસિંહ સોલંકી ના અધ્યક્ષ સ્થાને રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

ProudOfGujarat

ભરૂચ : નાંદ ગામની સીમમાંથી એક અજાણ્યા ઈસમનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!