Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ભરૂચ જય ભારત રીક્ષા એસોસિએશન દ્વારા ગોલ્ડન બ્રિજ ઉપર થી રીક્ષાઓ ચાલુ રાખવા બાબતે જીલ્લા સમાહર્તા ને આવેદન પત્ર પાઠવ્યું હતું…………

Share

ગોલ્ડન બ્રિજ ની સમાંતર ચાલતા નવા બ્રિજ ના કામગીરી ને અનુલક્ષી તંત્ર દ્વારા અગાઉ જાહેરનામું બહાર પાડ્યું હતું અને જાહેરનામા માં જણાવ્યા મુજબ ગોલ્ડન બ્રિજ ઉપર થી આગામી દિવસો માં માત્ર ટુ વ્હીલર ગાડીઓ જ જાહેરનામા માં દર્શાવેલ સમયગાળા દરમિયાન પસાર થઇ શકશે જેના અનુસંધાન માં ભરૂચ – અંકલેશ્વર વચ્ચે દોડતી ૫૦૦ થી વધુ રીક્ષા ચાલકો માટે તેઓ ની રોજી રોટી તેમજ આજુ બાજુ ના ગામજનો અને  વાર્ષિક પરીક્ષા ની તૈયારી કરી ચૂકેલા વિદ્યાર્થીઓ ના અને કોલેજ તેમજ શાળા એ આવતા વિદ્યાર્થીઓ ઉપર જેની સીધી અસર પડશે તેમ આવેદન પત્ર માં જણાવ્યું હતું …….

Advertisement

 

આજ રોજ જય ભારત ઓટો રીક્ષા એસોસિએશન દ્વારા ભરૂચ જીલ્લા સમાહર્તા ને સમગ્ર બાબત અંગે ની રજૂઆત કરી આવેદન પત્ર આપી જણાવ્યું હતું કે જાહેરનામા મુજબ ના સમય ગાળા દરમિયાન રીક્ષા ઓને ચાલુ રાખવામાં આવે અને જો તંત્ર  તેઓની માંગણીઓ સંતોષે તેમજ વહીવટી તંત્ર દ્વારા લેવાયેલ ખોટા નિર્ણય ના વિરુદ્ધ માં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી…..


Share

Related posts

ટાઈગર ઝિંદા હૈ એક્ટર સજ્જાદ ડેલફ્રૂઝના 3 ધમાકેદાર વેલેન્ટાઈન ડે ના પોશાકમાં લુક શેર કર્યો.

ProudOfGujarat

ભરૂચ : નારાયણ વિદ્યાવિહાર ખાતે મોક પાર્લામેન્ટ યોજાઇ.

ProudOfGujarat

રાજસ્થાનનાં ઉદયપુરમાં થયેલ હત્યા મામલે આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા ભરૂચ કલેકટરને આવેદન પાઠવાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!