Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ભરૂચ જાગેશ્વર ગામ ના આઢેર ની રિલાયન્સ કંપની ના ગેટ પર પરીવાર સાથે આત્મ વિલોપન ની ચીમકી ઉચ્ચારી હતી…….

Share

  વાગરા તાલુકા ના જાગેશ્વર ગામ ના લેન્ડ લૂઝર આઢેરએ દહેજ ની રિલાયન્સ કંપની માં નોકરી બાબતે ન્યાય નહીં મળતા આગામી ૨૫ એપ્રીલ થી કંપની ના ગેટ પર પરીવાર સાથે બે દિવસઃ ઉપવાસ આંદોલન પર ઉતરી ત્રીજા દિવસે આત્મ વિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે.વાગરા ના જાગેશ્વર ગામે રહેતા ૮૮ વર્ષીય ડાભાઈ ધનાભાઈ પટેલે ગત ૨૬ ફેબ્રુઆરી ના રોજ રિલાયન્સ કંપની માં લેન્ડ લૂઝર ને નોકરી  મેળવવા માટે પરતી તકલીફ સંદર્ભે આવેદન પત્ર પાઠવ્યું હતું ….કંપની કે વહીવટી તંત્ર તરફ થી કોઈ ન્યાય નહીં મળતા આજે સોમવારે ફરી થી જીલ્લા કલેક્ટર ને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી…જેમાં જણાવ્યું હતું કે અગાઉ કલેકટર તેમજ ધારાસભ્ય ને રજૂઆત કરી હતી જે સંદર્ભે ધારાસભ્ય દરમિયાન ગીરી કરી વૃદ્ધ ને આંદોલન તેમજ આત્મ વિલોપન ન કરવા અટકાવ્યા હતા . જોકે આજ દિન સુધી તેઓ ને ન્યાય મળ્યો ન હોય ફરી થી આવેદન પત્ર આપવાની ફરજ પડી છે જો ૨૫ એપ્રીલ સુધી માં ન્યાય નહીં મળે તો સવારે ૧૧ કલાક થી પરીવાર અને ટેકેદારો સાથે દહેજ સ્થિત રિલાયન્સ કંપની ના ગેટ પર બે દિવસઃ ઉપવાસ આંદોલન પર બેસીસુ જે બાદ પણ પરિણામ નહીં આવે તો ત્રીજા દિવસે આત્મ વિલોપન કરી શું જેમાવૃદ્ધ ને કઈં પણ થશે તો તેનું સંપૂણ જવાબદારી વહીવટી તંત્ર અને કંપની ના એચ આર વિભાગ ની રહશે તેવી કેફિયત વ્યક્ત કરાઈ હતી…………

Share

Related posts

અંકલેશ્વરમાં તસ્કરોનો આતંક યથાવત, નવા બોરભાઠા ગામના પટેલ ફળીયા વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી હજારોની ચોરીની ઘટનાને અપાયો અંજામ..!

ProudOfGujarat

જંબુસરનાં કાવા ગામના તળાવ પાસે મગર દેખાતા ગ્રામજનોમાં ફફડાટ, વન વિભાગે મગરને રેસ્ક્યુ કરી પાંજરે પૂર્યો..!!

ProudOfGujarat

પંચમહાલ તેમજ મહીસાગર જિલ્લાઓમાં ઉજવાયેલ ગણેશ મહોત્સમાં પંચમહાલના સાંસદ શ્રી પ્રભાતસિંહજી ચૌહાણ સામાજિક સમરસતાનો સંદેશ લઈને નીકળ્યા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!