Proud of Gujarat
GujaratFeaturedINDIA

સોમવારનું રાશિ ભવિષ્ય : જાણો કઈ રાશિના જાતકો ઉપર રહેશે ભોળાનાથની કૃપા.

Share

મેષ: ગણેશજી કહે છે, આજે કોઇપણ નવા કાર્યને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. તમારામાં નવી વસ્તુઓને જાણવાની ઇચ્છા રહેશે. થોડો સમય એકાંતમાં તથા આત્મચિંતન કરવામાં પસાર કરશો. પરિવારમાં વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. દિવસ ખૂબ જ થાક સાથે પસાર થશે.

વૃષભ: ગણેશજી કહે છે, તમને કોઇ સારી સફળતા મળવાની છે. તમારાથી આ સમયે કોઇ ભૂલ થવાની શક્યતા છે. તણાવને હાવી થવા દેશો નહીં. પરિવારમાં યોગ્ય અને સારું વાતાવરણ જળવાયેલું રહેશે. આ સમય માર્કેટિંગને લગતા કાર્યો તથા પેમેન્ટ કલેક્ટ કરવા માટે ખૂબ જ અનુકૂળ છે.

Advertisement

મિથુન: ગણેશજી કહે છે, જેટલો વધારે પરિશ્રમ કરશો તેટલું જ અનુકૂળ પરિણામ પણ પ્રાપ્ત થશે. દૈનિક કાર્યોને શાંતિથી પૂર્ણ કરશો. સ્વાસ્થ્ય સારું રહેશે. કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ પાસેથી સહયોગ મળશે. પરિવારનું વાતાવરણ સુખમય રહેશે.

કર્ક: ગણેશજી કહે છે, પાર્ટનરશિપને લગતા કાર્યોમાં પારદર્શિતા જાળવી રાખવી જરૂરી છે. તમારી દિનચર્યાને લગતા કાર્યોમાં સંપૂર્ણ ઊર્જા લગાવીને ધ્યાન આપી શકશો. સ્વાસ્થ્ય સારું રહેશે. કોઇપણ મોટું રોકાણ કરતા પહેલાં તેને લગતી સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી લો.

સિંહ: ગણેશજી કહે છે, પરિવાર સાથે હરવા-ફરવા તથા ડિનરનો પ્રોગ્રામ બનશે. કોઇ જૂના મિત્ર સાથે મુલાકાત થવાથી વિતેલી યાદો તાજા થશે. ફાયનાન્સને લગતા કાર્યોને વધારે મહત્ત્વ આપો. આ સમયે મહેનત પ્રમાણે પ્રતિફળ ઓછું મળશે. ધીમે-ધીમે પરિસ્થિતિ તમારા પક્ષમાં આવતી જશે.

કન્યા: ગણેશજી કહે છે, તમારા વિરોધીઓની ગતિવિધિઓ ઉપર નજર રાખો. વેપારમાં આજે કોઇ કામ પ્રત્યે વધારે મહેનતની જરૂરિયાત છે. કોઇ પ્રતિષ્ઠિત સંસ્થા સાથે જોડાવાનો અવસર મળશે. પરિવાર સાથે કોઇ ધાર્મિક અનુષ્ઠાનમાં જવાનો અવસર પ્રાપ્ત થશે.

તુલા: ગણેશજી કહે છે, સંબંધોને મજબૂત જાળવી રાખવાની તમારી કોશિશ સફળ થશે. સંબંધો ગાઢ બનશે. તમે તે દરેક વસ્તુ પ્રાપ્ત કરવાની કોશિશ કરશો, જેની તમને ઇચ્છા હતી. પરિવારની જવાબદારીઓને નિભાવવામાં તમે સારી જીવનશૈલીનું ધ્યાન રાખશો.

વૃશ્ચિક: ગણેશજી કહે છે, પરિવારમાં વાતાવરણ સુખદ રહેશે. ધર્મ અને અધ્યાત્મ પ્રત્યે તમારો વધતો વિશ્વાસ પણ તમને શાંતિ અને માનિસક સુખ આપશે. કોઇ નજીકના સંબંધી કે મિત્ર પાસેથી સામાન્ય વાતને લઇને મતભેદ થઇ શકે છે.

ધનુ: ગણેશજી કહે છે, વેપારમાં નવી પાર્ટીઓ તથા નવા લોકો સાથે વ્યવહાર કરતી સમયે થોડું સાવધાન રહો. બુદ્ધિમત્તા, હોશિયારથી તમે તમારા મહત્ત્વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. સ્વાસ્થ્યને લગતી પરેશાની થઇ શકે છે. અયોગ્ય તથા બે નંબરના કાર્યોમાં રસ ન લેશો.

મકર: ગણેશજી કહે છે, તમારી સહનશક્તિમાં ઘટાડો ન આવવા દેશો. બપોર પછી સમય ખૂબ જ શાંતિપૂર્ણ અને અનુકૂળ છે. અન્ય માટે પ્રેરણાદાયી રહેશે. પારિવારિક જીવન ખૂબ જ સુખ-શાંતિ પૂર્ણ પસાર થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. વેપારમાં આ સમયે નજર રાખવાની જરૂરિયાત છે.

કુંભ: ગણેશજી કહે છે, રાજનૈતિક તથા અનુભવી વ્યક્તિની સલાહ તથા મદદ તમારા વ્યવસાયને નવી દિશા પ્રદાન કરશે. સ્વાસ્થ્ય ઠીક રહેશે. ઘરમાં કોઇ ધાર્મિક આયોજન પણ પૂર્ણ થઇ શકે છે. તમારા સ્વભાવમાં પોઝિટિવિટી જાળવી રાખવા માટે સારા સાહિત્ય તથા સારા લોકોના સંપર્કમાં રહો.

મીન: ગણેશજી કહે છે, આ સમયે કોઇપણ પ્રકારનું દેવુ લેવાથી બચવું. વેપારમાં ફાયદો આપતી નવી યોજનાઓ બનશે. શારીરિક અને માનસિક થાક રહી શકે છે. ઘરેલુ કાર્યોને પ્રાથમિકતા આપીને પૂર્ણ કરવાની કોશિશ કરશો.ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારો રસ રહેશે.


Share

Related posts

અમેરીકાની ઘેલછામાં 9 ગુજરાતીઓ લાપતા થવાના કેસ મામલે થયો નવો ખુલાસો

ProudOfGujarat

ડભોઈથી રૂપિયા સાડા પાંચ લાખ મુખ્યમંત્રી રાહત કોસમાં અપાયા.

ProudOfGujarat

અંક્લેશ્વર નોટિફાઈડ પ્રતીન ચોકડી પર સર્કલ બનાવવાનું માડી વાડ્યું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!