Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ, અંકલેશ્વર સુરત સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળ્યાં.

Share

ભરૂચ જિલ્લામાં સતત બે દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો હતો, જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભરૂચ શહેરમાં પણ ધીમીધારે વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, સાથે જ કેટલાક સ્થળે માર્ગો પર પણ પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા હતા.

અંકલેશ્વરમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો, જેમાં અંકલેશ્વરથી સુરતને જોડતો સ્ટેટ હાઇવે પર કડકિયા કોલેજ નજીક માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઉપર વ્યાપક અસર જોવા મળી હતી. આમલાખાડી સહિત વરસાદી જળ રસ્તા પર આવી જતા વાહન ચાલકો જોખમી રીતે વાહન હંકારીને રસ્તો પાર કરવાની નોબત આવી હતી.

Advertisement

ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જેમાં 24 કલાક દરમ્યાન વરસેલ વરસાદના આંકડાકીય વાત કરીએ તો અંકલેશ્વર 2.72 ઇંચ, આમોદ 1.4 ઇંચ, જંબુસર 1.24 ઇંચ, ઝઘડિયા 3.4 ઇંચ, નેત્રંગ 4.44 ઇંચ, ભરૂચ 3.8 ઇંચ, વાગરા 2 ઇંચ, વાલિયા 3.68 ઇંચ, હાંસોટ 1.44 ઇંચ વરસાદ ફ્લડ કંટ્રોલના ચોપડે નોંધાયો હતો. તો ભરૂચના નર્મદા નદી પર આવેલ ગોલ્ડન બ્રિજ ખાતે પણ નદીમાં નવા નીર આવતા નર્મદા નદી બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે અને ગોલ્ડન બ્રિજ ખાતે નદીના જળ સ્તરમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે, જોકે વર્તમાન સ્થિતિમાં કોઈ ચિંતાની બાબત ન હોવાનું તંત્રના સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

વડોદરા : કરજણ તાલુકાના પિંગલવાડા ગામની સીમમાંથી પસાર થતી ઢાઢર નદીમાં મગરે એક કિશોરને શિકાર બનાવ્યો.

ProudOfGujarat

દહેગામ બાયડ રોડ પર આવેલા કડજોદરા ખાતે ડમ્પર ચાલકે એક વિદ્યાર્થી સાયકલ સવારને કચડી નાંખતા મોત.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે ગુરુદ્વારા પ્રબંધક સમિતિ અને ગુરુદ્વારા સિંઘ સભા દ્વારા શીખ ધર્મના પાંચમાં ગુરુ અર્જુન દેવની શહીદી નિમિત્તે સરબતનું વિતરણ કરાયું .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!