Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચનાં પૂર્વ ધારાસભ્ય અને સમાજસેવી મહંમદભાઈ ફાંસીવાલા ના નિધન અંગે રાજ્યસભા સાંસદ અહમદભાઇ પટેલે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. અને શોકસંદેશ પાઠવ્યો છે.

Share

અહમદભાઈ પટેલે શોક સંદેશમાં જણાવ્યું છે કે બે ટર્મ સુધી ભરૂચનાં ધારાસભ્ય તરીકે વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરીને જનતાનાં અવાજને તેમણે વાચા આપી અનેક લોકહિતના કાર્યો કર્યા હતાં. આ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તરીકે પણ તેમણે સેવા આપી હતી. માત્ર રાજકીય ક્ષેત્રમાં જ નહિ પરંતુ ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલનાં પ્રમુખ તરીકે તેમણે આરોગ્ય ક્ષેત્રે અને શૈક્ષણિક સંસ્થાઓના માધ્યમથી સ્વાસ્થય અને શૈક્ષણિક ક્ષેત્રમાં પણ સમાજ પરત્વેનું પોતાનું ઋણ અદા કર્યું છે અલ્લાહ તેઓને જન્ન્ત નસીબ કરે એવી લાગણી સાથે અહમદભાઈએ જણાવ્યું છે કે તેઓના નિધનથી જિલ્લાએ એક સક્ષમ નેતા ઉપરાંત ઉમદા-વ્યક્તિને ગુમાવ્યા છે જેમની ખોટ સદાયે વર્તાતી રહેશે અને તેમના પરિવારજનો સાથે ટેલીફોનિક વાતચીત કરી સાંત્વના આપી હતી.

Advertisement

Share

Related posts

सलमान खान ने एक वीडियो के जरिये फैंस को “रेस 3” की खूबसूरत लोकेशन से करवाया रूबरू !

ProudOfGujarat

ભરૂચ અને નર્મદા જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં નેટવર્ક પકડાતું ન હોવાના પગલે વિદ્યાર્થીઓને ભણતર અંગે નુકસાન સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્રીય મંત્રી રમેશ પોખરીયાલને પત્ર લખ્યો

ProudOfGujarat

અંકલેશ્વર: વીજ ટ્રાન્સફોર્મર ચોરોના આંતકનો અંત,ચોરોને જેલ ભેગા કરતી પોલીસ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!