Proud of Gujarat
FeaturedGujaratINDIA

સરદાર સરોવર ભરપૂર : નર્મદા નદીમાં પાણી છોડાયું, ફરી એકવાર ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે જળ સ્તરમાં વધારો, કાંઠા વિસ્તારોમાં એલર્ટ.

Share

નર્મદા જિલ્લામાં આવેલ સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. મંગળવારે સવારે ડેમની સપાટી 135.93 મીટર પર પહોંચી હતી. ઉપરવાસમાંથી હાલ ડેમમાં 4,12841 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. બીજી તરફ ડેમમાંથી 4,12547 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમના 23 દરવાજા 2.5 મીટર સુધી ખોલીને નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણી છોડવામાં આવતા નર્મદા નદીના કાંઠા વિસ્તાર નર્મદા, વડોદરા, ભરૂચને એલર્ટ કરવામાં આવ્યા છે.

ભરૂચ ખાતે નર્મદાની સપાટીમાં ફરી વધારો થયો છે. નર્મદા ડેમમાંથી વધારે પાણી છોડવામાં આવતા ભરૂચ ખાતે નર્મદા નદીના જળસ્તરમાં ફરી વધારો થયો છે. ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની જળ સપાટી 20 ફૂટ આસપાસ આજે સવારે પહોંચી છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો નદીના જળ સ્તરમાં ચારથી પાંચ ફૂટનો વધારો થયો છે. સપાટી વધુ એકવાર વધતા ભરૂચ નજીક નદીકાંઠા વિસ્તારમાં વસતા લોકો સહિત તંત્ર એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે. જોકે હાલ ગોલ્ડન બ્રિજ ખાતે નદીની જળ સપાટી તેની ભયજનક સપાટીથી ચાર ફૂટ નીચે વહેતી હોય ચિંતાની કોઈ વાત ન હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Advertisement

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

ભરૂચ તાલુકાના ભાડભૂત ખાતેના નિર્ણય સંમેલન અંગે બે ની અટક જો કે સત્તાવાર સમર્થન નહીં

ProudOfGujarat

અમદાવાદમાં પતંગ ચગાવવા જતા બાળકનું મોત, પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ હાથધરી

ProudOfGujarat

વડોદરામાં વિશ્વામિત્રી નદીમાંથી 6.5 ફૂટનો મગર સલાટવાડાના રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યો : મગરને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!