Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાનું અભિયાન શરૂ કરાયું.

Share

ભરૂચ શહેરના મુખ્ય માર્ગો પર છેલ્લા ઘણા સમયથી વાહન ચાલકો અને રાહદારીઓ માટે સમસ્યાઓનું સર્જન કરનાર રખડતા ઢોરને પાંજરે પુરી તેના માલિકો સામે કાર્યવાહીની તૈયારી હવે ભરૂચ નગરપાલિકા એ બતાડી છે. ગત રાત્રીના સમયથી જ ભરૂચ નગરપાલિકાના કર્મીઓએ દ્વારા વિવિધ વિસ્તારોમાં ઢોર પકડવાના વાહન સાથે રખડતા ઢોરને પાંજરે પૂરી પાંજરા પોર ખાતે ખસેડવાની કવાયત હાથધરી છે.

રાજ્યના કેટલાય શહેરોમાં રખડતા પશુઓ વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમી બન્યા હતા કેટલાક સ્થળે તો રખડતા ઢોરના કારણે અનેક લોકો ઇજાઓ પણ પાણી ચુક્યા છે, કેટલાંય લોકોએ મામલે કોર્ટના દ્વાર પણ ખકડાવી તંત્ર સામે જ બાયો ચઢાવી છે. તેવામાં હવે ભરૂચ નગરપાલિકા મામલે ગંભીર બની છે. ભરૂચના શક્તિનાથ, કીર્તિ સ્તંભ સર્કલ સહીતના વિસ્તારોમાં ગત રાત્રીના સમયે પાલિકા પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતીમાં રખડતા ઢોર પકડવાના અભિયાનની શરુઆત કરવામાં આવી હતી.

Advertisement

ભરૂચ નગરપાલિકાની ઢોર પડકવાની ટીમ દ્વારા માર્ગો પર અડીંગો જમાવી અને નડતરરૂપ થઇ બેસેલ અનેક ઢોરને રાત્રીના સમયે પકડી પાંજરા પોર ખાતે ખસેડવાની તજવીજ હાથધરી હતી સાથે જ જાહેર માર્ગો પર ખુલ્લા છોડવામાં આવતા ઢોરના માલિકોનો સંપર્ક શોધી તેઓની સામે કાર્યવાહી કરવાની પણ તૈયારીઓ બતાડી હોવાનું જાણવા મળી રહ્યું છે.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

અંકલેશ્વર ખાતે આઈ.આઈ.એફ.એલ. ની ઓફિસમાં થયેલ લૂંટનાં બનાવ બાદ પોલીસ પાસે હજી કોઈ કડી નહીં.

ProudOfGujarat

લીંબડી સરવરીયા હનુમાન ચોક ખાતે અજાણ્યા ઇસમે બે વ્યક્તિને છરીના ઘા ઝીંકી ફરાર.

ProudOfGujarat

ભરૂચ : મુસાફરો અને નોકરિયાત વર્ગ માટે રાહતના સમાચાર : ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે સીટી બસ સેવાનો પ્રારંભ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!