Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાગરામાં સર્વધર્મ સમૂહ લગ્નોત્સવમાં 20 યુગલોએ માંડ્યા પ્રભુતામાં પગલાં.

Share

ભારત જેવા બિનસાંપ્રદાયીક દેશમાં ગરીબી એ સૌથી મોટો ધર્મ છે અને આ ધર્મના લોકો બે ટંકના જમવા માટે પણ જઝૂમતા હોય છે. ગરીબો માટે હિન્દુ-મુસ્લિમ, શીખ, ઈસાઈ પછી પહેલા પેટ પુજા માટે જ દિવસભર પરિવારનું બોજ લઈને ફરતા હોય છે અને આવા ગરીબ પરિવારોના દીકરા-દીકરીઓના ઘર સંસાર માંડવાના સપનાઓ પરિપૂર્ણ થતાં નથી. દરેક વર્ગના ગરીબો માટે પોતાના સંતાનોના લગ્ન કરાવવા કઠિન હોય છે. રૂપિયા અને સંશાધનથી લાચાર દરેક ધર્મના ગરીબો સંતાનોના લગ્ન કરાવી શકતા નથી પરંતુ કહેવાય છે, જેનું કોઈ નથી તેનો ઈશ્વર છે આ જ સૂત્રને સાર્થક સાબિત કરે છે માનવતા. જે ધર્મ-અધર્મથી ઈતર માનવતાનો પર્યાય બની ગરીબોના ઘરમાં ખુશી અને સહારો બને છે. માનવતા સામે ધર્મ દ્વિતીય શ્રેણીમાં આવી જાય છે. જીવનનો બીજો તબક્કો એટલે ઘર સંસાર, ભારતભરમાં સેવારૂપી સંસ્થાઓ દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવતા હોય છે, ભૂખ્યાને ભોજન, ભટકતાને આશરો અને ગરીબ પરિવારોના લગ્ન કરાવી આપતી અનેક સંસ્થાઓ કાર્યરત છે. આ જ પંક્તિમાં વસ્તી ખંડાલી ગામનું ધી મુસ્લિમ ટ્રસ્ટ છે જે વર્ષોથી ગરીબ પરિવારોના લગ્ન સંસારનું માધ્યમ બને છે. સંસ્થાના સંચાલકો દ્વારા ભરુચ જિલ્લાના વાગરામાં ધાર્મિક એકતાના માહોલમાં સમૂહ લગ્ન મહોત્સવની આજે આયોજન કરવામાં આવ્યું હતું. વાગરામાં આવેલ મરઘાં કેન્દ્રમાં આ ભવ્ય લગ્ન મહોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં હિન્દુ-મુસ્લિમ કોમના ગરીબ પરિવારોના 20 યુગલોએ ઘર સંસાર માંડ્યા હતા.

વાગરા તાલુકાના વસ્તી ખંડાલી ગામના ઇસ્માઇલભાઈ હાફેજી દ્વારા દર વર્ષે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે. ઈસ્માઈલ હાફેજીનું અદમ્ય સાહસ ગરીબો માટે ખુશીનું કારણ બને છે. દાતાઓના દાનથી ગરીબોના જીવનમાં યોગદાન આપે છે. સમૂહ લગ્નમાં એક સ્ટેજ પર દરેક ધર્મના યુગલોએ સાંસારિક જીવનના પ્રારંભનો દસ્તાવેજ પઢી દુનિયા માટે મિસાલ કાયમ કરી હતી.

Advertisement

સાંપ્રત સમયમાં દેવાઓના બોજ તળે પ્રસંગો ઊજવતાં લોકો માટે સમૂહ શાદી પ્રેરણા રૂપ છે. આ લગ્નોત્સવમાં ઘર સંસાર માંડી રહેલા જોડાઓને કરિયાવરમાં ભેટ સ્વરૂપે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી. કન્યાદાન વેળા કન્યાઓના પરિવારોની આંખો ભીની થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ખાસ દુઆઓ સાથે સમારોહનું સમાપન થયું હતું. હિન્દુ-મુસ્લિમ દરેક સમુદાયના લોકોએ આ કાર્યને બિરદાવી ધાર્મિક એકતાની પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમમા યોગદાન આપતા દાતાઓ મૌલાના સુલેમાન વલી દશાનવાળા અને માસ્તર હાજી ઇકબાલ બબુસવાળા અને હાજી અલ્લી આદમ ઇસ્માઇલ અને પેટલ ઝુબેર યુનુસ ઓલા ફેમેલી અને હાફેઝ મોહમદભાઈ પેડલ અને આ પ્રસંગ જુબેદાબેન મોહંમદભાઈ પેડલ અને તથા તમામ આમતીત મહેમાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


Share

Related posts

નડિયાદના અરેરા ખાતે નવીન ગ્રામ પંચાયત, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અંઘજ ખાતે નવીન નંદઘરનું લોકાપર્ણ કરાયું

ProudOfGujarat

ઓલ ઇન્ડિયા પ્રાઈમરી ટીચર્સ ફેડરેશનની જનરલ કાઉન્સિલિંગ મિટિંગ મેઘાલયના સિલોગ મુકામે યોજાઈ.

ProudOfGujarat

સુરત જીલ્લાનાં વાહનોને ટોલનાકા ઉપર ટોલટેક્સમાંથી મુક્તિ આપવાની સાથે સુવિધાઓ વધારવાની માંગણીઓ કરતું આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી. જો ટોલ મુક્તિ નહીં આપવામાં આવે તો હાઇવે જામની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!