Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં ઝનોર ગામ ખાતે મચ્છી તળાવનો ઠરાવ કેન્સલ કરતા મહિલા સરપંચ પર જીવલેણ હુમલો, કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર

Share

ભરૂચ તાલુકાના ઝનોર ગામ ખાતે ગતરોજ સવારના સમયે બસ સ્ટેન્ડ નજીક ગામના સરપંચ મંજુલાબેન બાબરભાઈ વસાવા નાઓ જઈ રહ્યા હતા દરમ્યાન ગામમાં જ રહેતા (1) દિનેશ મોહનભાઈ માછી (2) જયેશ દિનેશભાઇ માછી (3) વિધુર દિનેશભાઇ માછી (4) માનસિંગ સના ભાઈ માછી (5) સંજય નરસિંહભાઈ માછી (6) જયેશ ચીમનભાઈ માછી (7) મનુ જીણાભાઈ માછી તેમજ (8) સૌરવ સતિષભાઈ ભાઈ માછી તથા રાકેશ માનસિંગ માછી નાઓએ મળી મહિલા સરપંચ ગામ પાદરથી પંચાયત તરફ જતા દરમ્યાન તેઓ પર હુમલો કર્યો હતો.

આજરોજ મહિલા સરપંચ દ્વારા ગ્રામજનોને સાથે રાખી જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં તેઓએ આક્ષેપ કર્યા છૅ કે ગામના જ માથા ભારે ઈસમો દ્વારા તેઓએ મચ્છી તળાવનો ઠરાવ કેન્સલ કેમ કર્યો તેમ જણાવી જાતિ વિષયક ગાળો આપી તમે સરપંચ બનીને દાદા થઈ ગયા છો તેમ જણાવી મહિલા સરપંચના પતિ તથા તેઓ સાથે ઝપાઝપી કરી જમીન પર ફેંકી દઈ જાનથી મારી નાંખવાની ધમકીઓ આપવામાં આવી હતી.

Advertisement

જે મામલા બાદ મહિલા સરપંચ દ્વારા નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને વિકાસના કામોમાં રુકાવટ કરે છે તેવા આક્ષેપ સાથે તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉચ્ચારી છે.


Share

Related posts

ભરૂચ સક્રિય પત્રકાર સંઘના ઉપક્રમે મેડિકલ કેમ્પ યોજાયો …

ProudOfGujarat

ભાવનગર GST કૌભાંડમાં SITની ટીમે વધુ 13 આરોપીઓની ધરપકડ કરી

ProudOfGujarat

ભરૂચ : કાશ્મીરમાં પંડિતો પર થઈ રહેલા આતંકી હુમલાઓને કારણે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પાઠવાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!