Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ સ્થિત હજરત પીર શાહુદ્દીન – બહાઉદ્દીન રહમતુલાહ અલયહેની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ.

Share

ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત કબ્રસ્તાનમાં આવેલી સુપ્રસિધ્ધ હજરત પીર શાહુદ્દીન – બહાઉદ્દીન રહમતુલાહ અલયહે તેમજ પીર સુબ્હાનલ્લાહ રહમતુલાહ અલયહેની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. દર વર્ષે ઇસ્લામી માસ શાબાનની ૧૩ મી તારીખે સંદલ શરીફની વિધિ પરંપરાગત રીતે સંપન્ન કરવામાં આવે છે.

આ પ્રસંગે અસરની નમાઝ બાદ ઉપરોક્ત દરગાહ શરીફ પર દરગાહ કમિટી દ્વારા સંદલ શરીફ અદા કરવામાં આવ્યું હતું. દરગાહ કમિટી તેમજ અકીદતમંદો દ્વારા દરગાહ શરીફ પર ફૂલ ચાદરો અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ સલાતો સલામનું પઠન કરવામાં આવ્યું હતું. સાથે સાથે દુઆ પણ ગુજારવામાં આવી હતી. સંદલ શરીફ પ્રસંગે મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડયા હતા.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : અંસાર માર્કેટમાં આવેલ આંગણવાડી કેન્દ્રમાં ગંદકીથી લોકો પરેશાન.

ProudOfGujarat

આગામી 48 કલાકમાં થશે કેરળમાં ચોમાસાનું આગમન, IMD કરી જાહેરાત

ProudOfGujarat

ભરૂચ નજીક મહત્વનો ફલાયઓવર બ્રિજ કરાયો મંજૂર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!