Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ સ્થિત હજરત પીર શાહુદ્દીન – બહાઉદ્દીન રહમતુલાહ અલયહેની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ.

Share

ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત કબ્રસ્તાનમાં આવેલી સુપ્રસિધ્ધ હજરત પીર શાહુદ્દીન – બહાઉદ્દીન રહમતુલાહ અલયહે તેમજ પીર સુબ્હાનલ્લાહ રહમતુલાહ અલયહેની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. દર વર્ષે ઇસ્લામી માસ શાબાનની ૧૩ મી તારીખે સંદલ શરીફની વિધિ પરંપરાગત રીતે સંપન્ન કરવામાં આવે છે.

આ પ્રસંગે અસરની નમાઝ બાદ ઉપરોક્ત દરગાહ શરીફ પર દરગાહ કમિટી દ્વારા સંદલ શરીફ અદા કરવામાં આવ્યું હતું. દરગાહ કમિટી તેમજ અકીદતમંદો દ્વારા દરગાહ શરીફ પર ફૂલ ચાદરો અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ સલાતો સલામનું પઠન કરવામાં આવ્યું હતું. સાથે સાથે દુઆ પણ ગુજારવામાં આવી હતી. સંદલ શરીફ પ્રસંગે મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડયા હતા.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

ભરૂચ રેલવે ડીસ્પેનશરી ખાતે જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

લીંબડી ધંધુકા હાઇવે પર મંગલદીપ કોટન ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગતાં લાખોનો કોટનનો જથ્થો બળીને ખાખ.

ProudOfGujarat

લીંબડી અમદાવાદ હાઈવે ઉપર ખાનગી લકઝરી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો : બે ના મોત , 30 ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!