Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગના દિવ્યાંગ કાર્યકર્તા બ્રિજેશ પટેલની કામગીરીને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલે બિરદાવી

Share

ભરૂચ જિલ્લાના નેત્રંગ પંથકમાં રહેતા અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી વિચાર મંચ સાથે સંકળાયેલા બ્રિજેશ પટેલ દ્વારા ઘરે ઘરે જઈ પેજ સમિતિઓ તૈયાર કરવામાં આવી છે, દિવ્યાંગ હોવા છતાં વ્હીલ ચેર પર ફરી ફરી તેઓ દ્વારા ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાના હેતુથી કામગીરી કરવામાં આવી રહી છે.

તાજેતરમાં જ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ દ્વારા કાર્યાલય ખાતે બ્રિજેશ પટેલની મુલાકાત લીધી હતી, જ્યાં તેઓએ બ્રિજેશ પટેલની કામગીરીને બિરદાવી હતી તેમજ તેઓની પ્રસંશા કરી કાર્યકર્તાઓની નિષ્ઠાનું જવલંત ઉદાહરણ પૂરું પાડવા બદલ બ્રિજેશ પટેલને અભિનંદન પાઠવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે બ્રિજેશ પટેલ 95% દિવ્યાંગ છે, છતાં નેત્રંગ તાલુકામાં તેઓએ 217 જેટલાં બુથપર કામગીરી કરી છે, આદિવાસી વિસ્તાર ધરાવતા નેત્રંગ પંથકમાં પોતાની કામગીરી થકી બ્રિજેશ પટેલે ભારતીય જનતા પાર્ટીના અન્ય કાર્યકર્તાઓ વચ્ચે અનોખું આકર્ષણ ઉભું કર્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : દહેગામ ગામની શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો ૧૫૦૦ વૃક્ષોની રોપણી કરાઇ.

ProudOfGujarat

હર્ષદ મહેતા નીરવ મોદીની જીવન કથા સુવર્ણ પડદા પર યોજાશે

ProudOfGujarat

આફ્રિકાના ઝામ્બિયા પાસે કાબ્વે ટાઉનમાં નિગ્રો લૂંટારુઓના ફાયરિંગમાં ભરૂચના વતની યુવકનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!